નવી દિલ્હીઃ આગામી 30મી જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 11 વાગે 2 મિનિટ માટે સમગ્ર ભારત દેશ બે મિનિટ માટે થંભી જશે. 30મી જાન્યુઆરી એટલે ભારતના મહાત્માગાંધીનો મૃત્યુ તીથિ છે જેને દર વર્ષે શહિદ દિવસ તરીકે ઉજવાય છે. મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અર્થાત 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે નવો આદેશ જારી કર્યો છે. એમાં કહેવાયું છે કે આ દિવસને દર વખતની જેમ શહિદ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. સાથે જ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ જારી કર્યો છે. એમાં દેશની આઝાદી માટે બલિદાન દેનારાઓની યાદમાં બે મિનિટનું મૌન રાકવામાં આવે. સાથે જ આ દરમિયાન કામકાજ અને આવનજાવન ઉપર પર રોક લગાવવામાં આવશે.
Ministry of Home Affairs writes to the Chief Secretaries of all States/UTs, issuing instructions laid down for observance of Martyrs’ Day on 30th January.
Silence should be observed & work & movement stopped for 2 minutes throughout the country at 11 am on 30th. pic.twitter.com/2hYwYXMKSZ
— ANI (@ANI) January 20, 2021
“>
ઉલ્લેખનિય છે કે, વર્ષ 1948માં 30 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દિવસે સાંજે જ્યારે તે સંધ્યાકાળની પ્રાથર્નામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે દ્વારા તેમના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
દર વર્ષે 30 જાન્યુઆરીને 11 વાગ્યે રખાય છે 2 મિનિટનું મૌન
શહિદ દિવસ માટે જે આદેશ ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યો છે તેમાં કહેવાયું છે કે 30 જાન્યુઆરીને દર વર્ષે 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે. આ સાથે સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કોઈ જાતનું કામકાજ અથવા આવનજાવન નહીં થાય. આગળ લખ્યું છેકે જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મોનની યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવે. ક્યાંક ક્યાંક આર્મિ ગનથી ફાયર પણ કરવામાં આવશે તે બતાવવામાં આવશે. આ એલર્ટ 10.59 મિનિટ પર કરવામાં આવશે. આ પચીથી 2 મિનિટ માટે બધાને મૌન રહેવાનું છે.
ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આ અમલ ફરજિયાત કરવાનો રહેશે. જે જગ્યાઓ પર સિગ્નલ નથી ત્યાં સુવિધા મુજબ કોઈ પણ રીતે સંદેશ પહોંચાડવામાં આવશે. કહેવાયું છેકે પહેલા મૌન દરમિયાન કોઈ પણ ઓફિસમાં કામકાજ ચાલુ રહેતું હતું. પરંતુ હાલમાં આને સખ્તાઈથી લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.