સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં મળી આવેલા શિવલિંગ જેવી પ્રતિકૃતિની કાર્બન ડેટિંગ અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપ્યો હતો.
આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી વતી એડવોકેટ હુઝેફા અહમદી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિહા અને જેબી પારડીવાલાની બેન્ચે તેની સુનાવણી કરી હતી. હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી દીધી છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.