SATYA DAYSATYA DAY
    Facebook X (Twitter) Instagram
    Thursday, November 30
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook X (Twitter) Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»GENARAL»ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ
    GENARAL

    ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

    satyadaydesknewsBy satyadaydesknewsApril 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp
    Share
    Facebook Twitter WhatsApp

    ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ રાજ્યમાં વધુ એક સફાઇ કામદારનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. આ ઘટના સુરતના ભીમરાડ રોડથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતના ભીમરાડ રોડ પર ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત થતાં ચકચાર મચી ગઈ છે. જેને લઈ હવે મૃતકના પરિવારજનોએ વળતરની માંગ સાથે મૃતદેહના અસ્વીકારની ચીમકી આપી છે. સાફ ગુજરાતમાં અનેક વાર ગટર કરવા ઉતરતા સફાઇ કર્મચારીના મોતની ઘટના સામે આવે છે. આ તરફ હવે સુરતના ભીમરાડ રોડ પર આવેલ એક્સલ બિલ્ડિંગમાં પણ આવી જ ઘટના સામે આવી છે. વિગતો મુજબ સફાઈ કર્મી રઘુભાઈ સોલંકી સહિતના ત્રણ સફાઇ કામદાર આ મોલમાં ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન સફાઈ કર્મી રઘુભાઈ સોલંકીનું ગુંગળામણથી મોત થયું છે. ભીમરાડ રોડ પર આવેલ એક્સલસ બિલ્ડિંગ મોલમાં સફાઇ કામદારના મોત બાદ પરિવારજનો શોકમગ્ન બન્યા છે. આ તરફ ભીમરાડ રોડ પર આવેલી એક્સલસ બિલ્ડિંગના માલિક મૃતક શ્રમિકના પરિવારજનોને વળતર આપે તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે જો માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો મૃતદેહના અસ્વીકારની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

    Share. Facebook Twitter WhatsApp
    satyadaydesknews

      Related Posts

      Saturn Ring: 2025માં શનિની વલયો ગાયબ થઈ જશે, જાણો શું છે કારણ, વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ઘટસ્ફોટ

      November 8, 2023

      નવેમ્બરમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વરસાદની સંભાવના છે, રાતો ઠંડીને બદલે ગરમ થશે, IMD એ આ પાછળનું મોટું કારણ આપ્યું.

      November 1, 2023

      સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ: સરદાર પટેલની જીવનયાત્રા કેવી હતી, ભારતને એક દોરામાં જોડવા માટે તેમણે કઈ પદ્ધતિ અપનાવી?

      October 31, 2023

      નવેમ્બર ગ્રહ સંક્રમણ 2023: નવેમ્બરમાં શનિ સહિત 5 ગ્રહોનું સંક્રમણ થશે, આ રાશિઓનું ભાગ્ય વધશે.

      October 30, 2023
      © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
      • Ramat Jagat
      • Gujarati Bhajan
      • Gujju Media

      Type above and press Enter to search. Press Esc to cancel.