વડોદરા ની દીકરી કે જે તુર્કી ના આતંકવાદી હુમલા નો ભોગ બની છે તેના અંતિમ સંસ્કાર વડોદરા માં કરવામાં આવનાર હોઈ વડોદરા નગર માં શોક નો માહોલ સર્જાયો છે,તુર્કીના ઇસ્તંબુલમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલી ફેશન ડિઝાઇનર ખુશી શાહનો મૃતદેહ બુધવારે સવારે 9:30 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચશે.બપોરે 3 વાગ્યે સેવાસી ખાતે આવેલા નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે.વડીવાડી સ્મશાન ખાતે ખુશીના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
તુર્કીના ઇસ્તંબુલ ખાતે 31 ડિસેમ્બરની રાત્રીએ ન્યૂ યર પાર્ટીમાં સાન્તાના વેશમાં કરવામાં આવેલા આતંકી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.આ દુઃખદ સમાચાર મળતા જ ખુશીના બંને ભાઈઓ ઇસ્તંબુલ જવા રવાના થઇ ગયા હતા.જ્યાં તેઓએ ખુશીના મૃતદેહની ઓળખ કરી હતી.બંને ભાઇઓ ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે 11:30 કલાકે ઇસ્તંબુલથી નીકળશે.અને આવતીકાલે બુધવારે સવારે 5:30 મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચશે.જ્યાંથી સવારે 9:30 વાગ્યે ખુશીના મૃતદેહને લઇને બંને ભાઇઓ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે.જ્યાંથી ખુશીના મૃતદેહને વડોદરા શહેરના સેવાસી સ્થિત એન્ટીકા ખાતે લઇ જવાશે.સવારે 10 વાગ્યાથી ખુશીના મૃતદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે.અને બપોરે 3 વાગ્યે નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે.અને શહેરના વડીવાડી સ્મશાન ખાતે ખુશીના અંતિમસંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
તુર્કી માં આતંકવાદી હુમલા નો ભોગ બનેલી વડોદરા ની ખુશી નો પાર્થિવ દેહ બુધવારે ઘર આંગણે પહોંચશે:કરુણાસભર દ્રષ્યો સર્જાશે..
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.