SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Display»દર સપ્તાહે ખાતાધારકો ૨૪ હજાર કેમ ઉપાડી શકતા નથી?: સુપ્રીમ કેન્દ્રને પૂછેલા તમામ સવાલોનો બુધવાર સુધી જવાબ આપવા નિર્દેશ : વધુ સુનાવણી ૧૪ ડિસેમ્બરે
    Display

    દર સપ્તાહે ખાતાધારકો ૨૪ હજાર કેમ ઉપાડી શકતા નથી?: સુપ્રીમ કેન્દ્રને પૂછેલા તમામ સવાલોનો બુધવાર સુધી જવાબ આપવા નિર્દેશ : વધુ સુનાવણી ૧૪ ડિસેમ્બરે

    DipalBy DipalDecember 10, 2016No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણયથી એક તરફ પ્રજા ત્રાહિમામ છે તો બીજી તરફ હવે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સરકારનો ઉધડો લઇ નાખ્યો છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. ઠાકુરે આજે નોટબંધીને લઇને સરકારને કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતાં. નોટબંધી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે પૂછ્યું કે જ્યારે દરેક ખાતાધારકને સપ્તાહમાં રૂા. ૨૪૦૦૦ ઉપાડવાની છૂટ છે તો આ નિયમનો બેન્કોમાં પાલન કરાવવામાં કેમ નથી આવી રહ્યો?

    આ ઉપરાંત કોર્ટે નોટબંધીને લઇને કેન્દ્ર સરકારને અન્ય અનેક સવાલો પૂછ્યા. કોર્ટે સરકાર પાસે બુધવાર સુધી આ પ્રશ્નોના જવાબ માંગ્યા છે.કોર્ટે સરકારને પૂછ્યું કે તેણે લોકોની તકલીફોનો દૂર કરવા માટે કયા પગલા ભર્યા છે? નોટબંધી પર આગામી સુનાવણી બુધવારે થશે.

    કોર્ટે સરકારે પૂછ્યું કે, શું સરકાર ચલણમાંથી રદ કરાયેલી નોટોનો સરકારી હોસ્પિટલોમાં ઉપયોગ માટેની સમયમર્યાદા વધારવાની મંજૂરી આપશે? એવું પણ પૂછવામાં આવ્યું કે શું જિલ્લા સહકારી બેન્કોને ચલણમાંથી રદ કરાયેલી નોટો જમા કરવાની મંજૂરી આપી શકાય છે? કોર્ટે પૂછ્યું કે શું તે એક સપ્તાહમાં નક્કી કરાયેલ રૂા. ૨૪ હજારમાંથી એક નિશ્ચિત ન્યૂનતમ રકમ ઉપાડવાની મંજૂરી આપવાના પક્ષમાં છે? સુપ્રીમે સરકારને પૂછ્યું કે નોટબંધી પહેલા દિમાગ લગાવવામાં આવ્યો હતો કે તેનાથી કેટલી કરન્સી પરત આવશે? કઇ રીતે નવી કરન્સી છાપવામાં આવશે? શું આ માટે કોઇ આયોજન કર્યું હતું? સરકારને નોટબંધીના નિર્ણયને લઇને કેવી અપેક્ષા હતી? સુપ્રીમે સરકારને વધુમાં પૂછ્યું કે શું જ્યારે તમે વિમુદ્રીકરણને લઇને પોલિસી તૈયાર કરી રહ્યાં હતાં ત્યારે તે ગુપ્ત હતી? સુપ્રીમ કેન્દ્ર સરકારને સવાલ કરતાં કહ્યું કે, કેન્દ્રએ એવા કોઇ પગલા ભર્યા છે જેનાથી લોકોની તકલીફો દૂર થાય? કોર્ટે સાથે જ પૂછ્યું કે તમે નાણાં ઉપાડવાની મર્યાદા કેમ નથી વધારતા? સામાન્ય લોકોનો મત છે કે તેનાથી સામાન્ય લોકોને પારાવાર તકલીફો સહન કરવી પડી રહી છે. સુપ્રીમે કેન્દ્ર સરકારને એ પણ પૂછ્યું કે નોટબધીને લગતી સહકારી બેન્કોની જે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેમને ઘટાડવા માટે કેવા પગલા ભરવામાં આવ્યા છે? ઉલ્લેખનીય છે કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ નોટબંધી પર ચાલી રહેલી સુનાવણી ૧૪ ડિસેમ્બર સુધી ટાળી દીધી હતી. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ નોટબંધીના નિર્ણયને લાગુ કરવાના પક્ષમાં તર્ક આપતા કહ્યું કે લોકોની સમસ્યાઓને ઘટાડવા માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેના પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના ત્રણ જજોને જણાવ્યું કે એટીએમમાં પૈસા નથી. એટીએમના રિકેલિબ્રેશનનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. સહકારી બેન્કો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Dipal

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023

    RSSએ ભાજપને શા માટે આપી મોટી સલાહ, 2024ની ચૂંટણી પહેલા તેના રાજકીય પરિણામો શું છે? સમજો

    June 9, 2023
    Advertisement
    Latest Post
    Display

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023
    Display

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023
    Display

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Display

    RSSએ ભાજપને શા માટે આપી મોટી સલાહ, 2024ની ચૂંટણી પહેલા તેના રાજકીય પરિણામો શું છે? સમજો

    June 9, 2023
    Display

    ઝારખંડ: ધનબાદમાં ગેરકાયદેસર ખાણકામ દરમિયાન કોલસાની ખાણમાં ફસાઈ, 3ના મોત, ઘણા ઘાયલ

    June 9, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version