નવી સંસદનું ઉદ્ઘાટન: રાષ્ટ્રપતિને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની માંગ કરતી અરજી પર આજે (26 મે) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નવી સંસદના ઉદ્ઘાટન સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે, ‘આવી અરજી દાખલ કરવા બદલ અમે તમારા પર દંડ કેમ ન લગાવીએ.’ આ અરજી સીઆર જયસુકિન નામના વકીલે દાખલ કરી છે.
સુનાવણી દરમિયાન અરજદાર વતી દલીલ કરતા કહેવામાં આવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ પાસે બંધારણીય વડાનું પદ હોય છે. અમે દખલ કરવા માંગતા નથી. રાષ્ટ્રપતિ પાસે બંધારણીય વડાનું પદ હોય છે. તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે આ એવો મામલો નથી જેમાં કોર્ટે દખલ કરવી જોઈએ. કાર્યકારી વડા (વડાપ્રધાન) સંસદના સભ્ય છે. બંધારણીય વડા (રાષ્ટ્રપતિ) સંસદનો ભાગ છે. અમે અરજીને ફગાવી દેવાના છીએ.
આ પછી વકીલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી. આના પર સોલિસિટર જનરલે કહ્યું કે, જો અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવશે તો તે હાઈકોર્ટમાં જશે. તેના પર કોર્ટે અરજદારને પૂછ્યું કે શું તમે હાઈકોર્ટમાં જશો. વકીલ વતી જણાવાયું હતું કે, ના. આના પર ન્યાયાધીશે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી.