નોટ બંધી ના ૨૯ માં દિવસ બાદ પણ પૈસા માટે વલખા મારતી જનતા માટે રીઝર્વ બેંક જનતા ને થોડી રાહત આપે તેમ છે.બુધવારે બેન્ક ના વ્યાજદર માં ૦.૨૫ ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. મંગળવારે છ સભ્યો ની મોનેટરી કમિટી ઉર્જીત પટેલ રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે નિમાયા બાદ એમપીસીની રચના કરવામાં આવી હતી ઓકટોબરમાં રેપો રેટ એટલે કે શોર્ટ ટર્મ લેન્ડિંગ રેટ ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય, છે કે ઉર્જીત પટેલ ના ગાદી લીધા પછી ચલન માંથી નીકળેલી ૧૦૦૦ તેમજ ૫૦૦ ની નોટો ના નિર્ણય પછી આ પ્રથમ બેઠક છે.RBI જાન્યુઆરી ૨૦૧૫થી અત્યાર સુધી માં પોલિસી રેટમાં ૧.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્ક ધારણા કરતાં વધુ વ્યાજદરમાં ઘટાડો કરીને બેન્કો પરનો બોજો ઘટાડવાનું પગલું ભરી શકે તેવી સંભાવના બેન્કિંગ ઉદ્યોગમાં મૂકવામાં આવે છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
નોટબંધી ના ૨૯ માં દિવસ બાદ RBI ની નવી પોલીસી થશે જાહેર બેંક ના વ્યાજ દર માં ૦.૨૫% ના ઘટાડા ની શક્યતા.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.