ધો-૧૨ બાદ મેડીકલ અને પેરા મેડીકલ માં પ્રો રેટા પધ્ધતિ રદ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ મુદ્દે વડોદરામાં પણ પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. અને કમાતીબાગ ના બેન્ડ સ્ટેન્ડ ખાતે એક બેઠક મળી હતી. જેમાં સરકારના આ નિર્ણય સામે આગામી આંદોલનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.
વાલીઓનું કેહવું છે કે હવે મેડીકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાવાની હોવાથી ગુજરાતની ૧૫ ટકા બેઠકો પર ઓલ ઇન્ડિયા કક્ષાએ પ્રવેશ અપાશે પરંતુ બાકી ની ૮૫ ટકા બેઠકો ઉપર પ્રવેશ આપવા માટે પ્રો રેટા પધ્ધતિ રદ કરવાનો નિર્ણય યોગ્ય નથી.
હમણાં સુધી ગુજરાત બોર્ડના વિદ્યાર્થી અને સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મેડીકલની બેઠકોની ફાળવણી થતી હતી પરંતુ હવે બાકીની ૮૫ ટકા બેઠકો ઉપર સરકારે ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને એકજ લીસ્ટના આધારે પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે. નવાઈ ની વાત તો એ છે કે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ જ નીટ આધારિત છે. જયારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે કોઈ ઠેકાણા નથી. અને બજારમાં ઉપલબ્ધ પણ નથી. આ સંજોગોમાં આ શક્ય નથી તેમ વાલીઓએ જણાવ્યું હતું.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
મેડીકલ અને પેરામેડીકલ માં પ્રવેશ માટે પ્રો રેટા પધ્ધતિ રદ કરવાનો નિર્ણય ખોટો.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.