SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Gujarat»વલસાડમાં સરકારી જમીન વેચી ખાનારા બિલ્ડર વશી અને જમીન ખરીદનાર સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ !! આ કાંડમાં સામેલ તમામ ગુનેગારો સામે કાર્યવાહી કોણ કરશે?
    Gujarat

    વલસાડમાં સરકારી જમીન વેચી ખાનારા બિલ્ડર વશી અને જમીન ખરીદનાર સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ !! આ કાંડમાં સામેલ તમામ ગુનેગારો સામે કાર્યવાહી કોણ કરશે?

    Editor's DeskBy Editor's DeskMay 11, 2023Updated:May 11, 2023No Comments3 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વલસાડમાં સરકારી જમીન વેચી ખાનારા બિલ્ડર વશી અને જમીન ખરીદનાર સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ રહેતા અનેક સવાલો ઉઠ્યા છે આ કાંડમાં સામેલ તમામ ગુનેગારો સામે કાર્યવાહી કોણ કરશે તેનો જવાબ કોણ આપશે? આ આખા ખેલમાં સરકારી જમીન વેચી મારવાનું પાપ કરનારાઓ સામે અત્યાર સુધી કેમ પગલાં ન ભરાયા તે મુદ્દો પણ સૂચક છે.

    વલસાડમાં લોટસ હોસ્પિટલની બાજુમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર હાલ થઈ રહેલા કોમર્શીયલ બાંધકામનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
    આ જમીન સરકારશ્રીની હોય સુઓમોટો દાખલ કરી, સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સહિત આ સરકારી જગ્યા પર થઈ રહેલા બાંધકામ ઉપર સ્ટે આપવા સહિતઆ ફરિયાદને માનનીય મુખ્યમંત્રીના જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવા માટે રજુઆત પણ થઈ ચૂકી છે ત્યારે આ પ્રકરણમાં હજુ ઠોસ પગલાં નહિ ભરાતા સવાલો ઉભા થયા છે.

    વલસાડ ન.પાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન સરકાર પાસેથી મેળવ્યા બાદ આ જમીન ઉપર પાલિકાના કર્મચારીઓ માટે ફ્લેટ તૈયાર થયા અને ત્યારબાદ બિલ્ડર હિમાંશુ વશીએ તે ફ્લેટ ખરીદી વેચાણ કરવાનો આખો જે ખેલ ખેલાયો તે આખી વાતજ ગેરકાયદે હોવાછતાં આ પ્રકરણમાં કોઈએ રસ નહિ લેતા આખું તંત્ર શંકાના ઘેરામાં આવી ગયું છે.
    આ જમીન સરકારી છે જે ભુતકાળમાં નગરપાલિકા વલસાડ તથા અન્યો દવારા આ સરકારી જમીનનો ખોટા દસ્તાવેજો કરવાનો મામલો છે અને ત્યાર બાદ ખાનગી વ્યક્તિ ને દસ્તાવેજો કરી આપેલ છે આ જમીન પર હાલ કોમર્શીયલ બાંધકામ થઈ રહ્યું છે અને અખબારમાં આખી વાત ઉજાગર કરવામાં આવે તેમછતાં તંત્ર કાર્યવાહી કરતું નથી તે વાત પણ અનેક સવાલો ઉભા કરે છે આ મામલો જનહીત સાથે જોડાયેલો છે તેમછતાં જવાબદાર અને વગદાર લોકો બિન્દાસ છે અને કોઈ કાર્યવાહી થતી નથી તે મામલો ખુબજ ગંભીર છે.
    જે રીતે ફિલ્મમાં બતાવવામાં આવે કે વગદારો કેટલા બિન્દાસ હોય અને ગેરકાયદે મામલો ત્યાં નડતો નથી તે વાત જાણે કે વાસ્તવિકતા હોય તેવું લાગ્યા વગર રહેતું નથી.
    પાછલા વર્ષોમાં સરકારી જમીન હડપ કરવાનો જે આખો ગેરકાયદે ખેલ ખેલાયો તે એક ગુનો છે અને એમાં સંડોવાયેલા તમામ લોકો ગુનેગાર છે અને આ ગુનેગારોને છાવરી તેઓને આડકતરી રીતે મદદ કરનાર તમામ સામે કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી પણ મીડિયામાં આખી મેટર આવ્યા બાદ આ સરકારી જમીન ઉપર જે રીતે ખાનગી કન્ટ્રકશન થઈ રહ્યું છે તે વાત એથીય વધુ ગંભીર છે ત્યારે સત્યડે આ સરકારી જમીન જનહીતમાં ખાલસા કરવા સતત અભિયાન ચલાવી રહ્યું છે અને તંત્ર ક્યારે પગલાં ભરશે ? તે સવાલ ફરી એક વખત વલસાડની જનતા પૂછી રહી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડમાં આ સરકારી જમીન વેચી મારવાના પ્રકરણમાં સત્યડેના માલિક અને તંત્રી ગુલઝાર ખાન દ્વારા જિલ્લા સમાહર્તાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને જમીનની કાયદાકીય તપાસ કરી આ જમીન સરકારશ્રીની હોય સુઓમોટો દાખલ કરી અને સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજ કરવામાં આવી છે.

    .

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Editor's Desk
    • Website

    Related Posts

    અમદાવાદથી સુરત તરફ બાય રોડ જતા પહેલા વિચારજો,અહીં 24 કલાકથી છે ટ્રાફિક જામ

    June 9, 2023

    સુરતના ગૂમ પોલીસકર્મી મિથુનને ક્રાઈમ બ્રાન્ચ શોધી શકી નથી તે “વાસ્તવિકતા” છે! દિલ્હીમાં ફોન સ્વીચ ઓફ થયો કે કરવામાં આવ્યો? કોના કોના ફોન ટેપ થયા? શુ હતો સમગ્ર મામલો?

    June 9, 2023

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદમાં ‘ટિફિન પે ચર્ચા’ ! કાર્યકર્તાઓ સાથે ટિફિન ભોજન કર્યું!

    June 9, 2023

    વડોદરામાં નકલી પનીર વેચવાનો કરોડોનો કારોબાર, માહિતી લીક થતાં પનીર માફિયાઓની ધમકી!

    June 9, 2023
    Advertisement
    Latest Post
    Display

    સંજીવ જીવા મર્ડર કેસઃ વિજય હત્યાના દિવસે લખનૌ આવ્યો હતો. નેપાળથી મળી સોપારી, જાણો આખી વાત.

    June 9, 2023
    Display

    કોંગ્રેસમાં સચિન પર સસ્પેન્સ યથાવત! પાર્ટી છોડવાની અટકળો વચ્ચે પાયલોટ કેસી વેણુગોપાલને મળ્યા, શું મળ્યું આશ્વાસન?

    June 9, 2023
    Display

    બાલાજીના ભક્તો માટે મોટા સમાચાર, જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ભગવાન શ્રી વેંકટેશ્વરનું મંદિર

    June 9, 2023
    Display

    RSSએ ભાજપને શા માટે આપી મોટી સલાહ, 2024ની ચૂંટણી પહેલા તેના રાજકીય પરિણામો શું છે? સમજો

    June 9, 2023
    Display

    ઝારખંડ: ધનબાદમાં ગેરકાયદેસર ખાણકામ દરમિયાન કોલસાની ખાણમાં ફસાઈ, 3ના મોત, ઘણા ઘાયલ

    June 9, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version