વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. આ માટે સાંકળા રસ્તા, વાહનો માટે પાર્કિંગની સમસ્યાથી માંડીને અગાઉના પાર્કિંગલેસ બાંધકામે મોટાભાગે કારણભૂત છે. ત્યારે નીરાકેન્દ્ર સામે અને સ્ટેશન રોડ નજીક પડતા ચાર રસ્તા ઉપરનો ફુવારો કામ સર્કલ ટ્રાફિક માટે નડતરરૂપ હોવા અંગે શહેરના જાણીતા આરટીઆઈ કાર્યકર્તા કેતન શાહે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો કરી હતી. અને બે વખત નગરપાલિકા દ્વારા આ સર્કલ દૂર કરવા માટે ખાતરી અપાઈ હતી. પરંતુ લેખિત ખાતરી હોવા છતાં સર્કલ દૂર નહિ થતા કેતન શાહે ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે આ સર્કલ મુખ્ય રસ્તા ઉપર ૨૪ કલાક લોકોની અવરજવર ઉપર હોઈ તે અકસ્માત માટે કારણ બની શકે તેમ છે. અને જાહેર હિતના કાર્યમાં વિલંબ થઇ રહ્યો છે. જે માટે જિલ્લા સમાંકર્તાને કરેલ રજૂઆતમાં સીઆરપીસી કલમ ૧૩૩ હેઠળ પગલા ભરવા વિનંતી કરવામાં આવેલ હતી. આ કેસમાં સબડીવીઝન મેજીસ્ટ્રેટ વિપ્રા.એસ.આગ્રેએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૩૩ મુજબ સામેવાળાને હુકમ મળ્યાના દિન-૭મા સર્કલ દૂર કરવા હુકમ કર્યો હતો. એટલુજ નહિ પરંતુ સર્કલ દૂર કરવામાં વિલંબના કારણો દર્શાવવા વાંધાની વિગતો જણાવવા હૂકમ કર્યો હતો. છેલ્લા ઘણાજ સમયથી આ સર્કલનો મુદ્દે વલસાડ નગર પાલિકામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
વલસાડ નીરા કેન્દ્ર સામેના સર્કલને દૂર કરવા હુકમ: આરટીઆઈ કાર્યકર્તા કેતન શાહની રજૂઆત ફળી.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.