કેન્દ્રીય એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે, જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદી મોકલ્યા છે અને તે રામલીલા મેદાનમાં હજારો લોકો વચ્ચે પ્રધાનમંત્રી પર હુમલો કરી શકે છે. આ રેલીમાં NDA સરકાર સાથે જોડાયેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ પ્રધાનો પણ સામેલ થવાના છે.
ગુપ્તચર એજન્સીઓએ પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ગાઇડલાઈન્સ જારી કરી છે. જેમા જણાવવામાં આવ્યું છે કે 12મી ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવેલો નાગરિકતા સુધારા કાયદો, 9મી નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ ચુકાદો અને 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી પર જોખમ વધી ગયું છે. આ ઉપરાંત પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કરવામાં આવ્યા બાદ મોદી પર આતંકવાદીઓનું જોખમ વધી ગયું છે. આ તમામ બાબતને જોતા તેમના પર હુમલાની શક્યતા નકારી શકાતી નથી.