રાજ્યમાં કોરોનાનો કહેર જેવી રીતે વધી રહ્યો છે તેને જોતા ચિંતા વધી રહી છે પણ થોડાક દિવસોમાં રાજ્યોમાં વધુ દર્દીઓ રિકવર થઈ રહ્યાનાં સારા સમાચાર છે. રાજ્યમાં અત્યાર સુધી રિકવર થયેલા દર્દીઓ સાથે કુલ 1 લાખ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 16 સપ્ટેમ્બરનાં આંકડા મુજબ રાજ્યમાં સર્વાધિક રેકોર્ડ બ્રેક 1652 દર્દીઓ રિકવર થયા હતાં તે સિવાય 1447 અને 1444 જેટલા દર્દીઓ એક દિવસમાં રિકવર થઈ ચૂક્યા છે જ્યારે આજનાં આંકડા મુજબ રાજ્યમાં કુલ 1293 દર્દીઓ રિકવર થયા છે જેની સાથે કુલ 101201 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. આ સાથે જ બનાસકાંઠાના પાલનપુરમાં કાણોદર ગામમાં (Kanoodar, Palnpur, Banaskantha) કોરોના જાણે…
Author: Satya-Day
રાજ્યસભાએ કૃષિ સંબંધિત બે બિલ ધ્વની મત દ્વારા પસાર કર્યા છે. આ પછી રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 9 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. ઉપલા ગૃહમા વિપક્ષે બિલ અંગે ઘણો હોબાળો મચાવ્યો હતો અને નારા લગાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને ડેપ્યુટી ચેરમેન સમક્ષ રૂલ બુક ફાડી નાખી. જ્યારે કોંગ્રેસ અને આપના સાંસદો વેલમાં પહોંચ્યા. એટલું જ નહીં સાંસદોએ બેઠકો સામે લાગેલા માઇક તોડી નાખ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસે આ બિલને ખેડૂતોના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવાનું જણાવ્યું હતું રાજ્યસભામાં ભારે હોબાળો વચ્ચે બિલ પસાર થવાના મામલે વિરોધી પક્ષો દ્વારા આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ…
સમગ્ર 2020નું વર્ષ લોકો માટે પીડાદાયક બની રહ્યું છે. દુનિયાભરાં ફેલાયેલ કોરોના વાયરસને કારણે ચીન (China) બદનામ થઈ ગયું છે. હવે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં વધુ એક બીમારી ફેલાતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટસ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન (Bacterial Infection) લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્યાર સુધી 3 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છે. જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તેનાથી સંક્રમિત વ્યક્તિને પહેલા તાવ આવે છે, જેને માલ્ટા તાવ નામ આપવામાં આવ્યું છે. સાથે જ તેનાથી પુરુષોમાં નપુંસતકા આવવાનો ખતરો પણ રહે છે. રિપોર્ટસ અનુસાર, ચીનના…
રેલમંત્રીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન (Shramik Special Train) માં મુસાફરી દરમિયાન 97 લોકોનાં મૃત્યુ થયાં હતાં, સરકારે પ્રથમ વખત કબૂલ્યુ હતું કે કોવિડ-19 લૉકડાઉન (Covid-19 Lockdown) દરમિયાન તેમને પોતાના વતન લઈ જવા માટે ચલાવવામાં આવેલી વિશેષ ટ્રેનોમાં પરપ્રાંતિય મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયને (TMC Derek O’Brien) શુક્રવારે પ્રશ્ન કર્યો હતો જેના લેખિત જવાબમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે (Rail Minister Piyush Goyal) સંસદના ઉપલા ગૃહને માહિતી આપી હતી. રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓના આધારે વર્તમાનની કોવિડ-19 કટોકટીની સ્થિતિ દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરતા સમયે 9 સપ્ટેમ્બર 2020 સુધી 97 લોકોનાં મૃત્યુ…
સુરત : હાલમાં ઉકાઇડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 16,928 ક્યુસેક પાણી જ છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 16,928 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ઉકાઇની સપાટી તેના રૂલ લેવલની નજીક પહોંચી ગઇ હતી. જોકે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. શનિવારે સાંજે આઠ વાગ્યે ઉકાઇની સપાટી 343.32 ફૂટ નોંધાઇ હતી. હાલ ઉકાઈમાં પાણનો ઈન ફ્લ અને આઉટ ફ્લો બંને 16,928 ક્યૂસેક નોંધાતા ત્રણ હાઈડ્રો શરૂ કરવામાં આવ્યા છે. આજ રોજ ચોર્યાસીમાં 8 મિમિ અને સુરતમાં 25 મિમિ નોંધાયો હતો. સુરત ખાતે વિયર કમ કોઝવેની સપાટીમાં સતત વધારો થવાના…
ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર કરી ૧૦૧.૩ લાખ કરોડ પર પહોંચી ગયું છે. હાલના વિદેશી હૂંડિયામણ વિનિમય દર પ્રમાણે આ દેવું ૧.૨૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય. કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ત્રિમાસિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં સરકારના દેવામાં રૂપિયા ૭ લાખ કરોડનો અચાનક વધારો થયો હતો. જેના પગલે ભારત સરકાર પરનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર થયું હતું. જૂન મહિનાના અંતે ભારત સરકારનું જાહેર દેવું રૂપિયા ૯૨.૩ લાખ કરોડ પર પહોંચ્યું હતું. તેમાં ઘરેલુ અને બાહ્ય દેવાઓનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું…
સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટ પ્લેનને બે વાર લેન્ડિંગ કરવામાં આવ્પાયું છે. વિમાનની સ્પીડ વધારે હતી. પાયલોટ દ્વારા સ્પીડ ઘટાડવામાં આવી ન હતી.તેથી સુરત એરપોર્ટ કન્ટ્રોલ (surat airport) દ્વારા પાયલોટને મેસેજ આપવામાં આવ્યો હતો. સ્પીડ વધારે હોવાથી રન-વે પરથી પ્લેન ફરી એક વાર ટેક ઓફ કરાયું હતું. એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્પાઈસ જેટનુ 189 સીટર પ્લેન દિલ્હીથી સુરત આવી રહ્યું હતું. આ ફ્લાઈટની લેન્ડિંગ સુરત એરપોર્ટ પર રનવે નંબર 22 પર થવાની હતી. વિમાન જ્યારે સુરતના એર સ્પેસમાં પહોંચ્યું તો લેન્ડિંગ માટે તૈયારી કરી રહ્યું હતું. વિમાન રનવે પર એકદમ નજીક આવ્યું ત્યારે એરપોર્ટ કન્ટ્રોલે જોયું કે, ફ્લાઈટની…
કોરોનાએ દેશના તમામ નાગરિકની કમર ઢીલી કરી નાંખી છે. એમાં પણ મધ્મમ વર્ગની તો દશા ઔર બગડી ગઈ છે. રોજનું કમાઈ રોજ ખાનાર વર્ગને બહુ ઝાઝી અસર નથી, પરંતુ નોકરિયાત અને નાના મોટા એકમોમાં ખાનગી નોકરી કરતા વર્ગની હાલત કોરોનાએ કફોડી કરી દીધી છે. પેટ્રોલ-ડિઝલમાં પણ સરકાર ધીરે ધીરે ડોઝ વધારી રહી છે. હવે વલસાડ એસટી વિભાગે (Valsad ST Department) પણ બસ ભાડામાં રૂ.4-5 સુધીનો તોંતીગ વધારો કરી દીધો છે. હાઈવે પરના ટોલ ટેક્સવાળાઓએ ટેક્સમાં (Toll Tex) બેફામ વધારો કરી દેતાં બસમાં (Bus) મુસાફરી કરતા રોજીંદા મુસાફરોનો હવે મરો થઈ રહ્યો છે. કોરોનાએ તો માણસને જીવવું કપરું બનાવી દીધું છે.…
કોરોનાની મહામારી વચ્ચે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેનો ફી બાબતનો વિવાદ હજી પણ અટક્યો નથી. છેલ્લા 5 મહીનાથી શાળાઓ સંપૂર્ણ રીતે બંધ છે. શાળાઓમાં હજી વાસ્તવિક શિક્ષણ ક્યારે શરૂ થાય તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી શાળાઓનો અમુક ખર્ચ હજી થયો નથી. ઘણી શાળાઓ દ્વારા શષિક્ષકોના પગારમાં 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે, જે આરટીઈ એક્ટ મુજબ ફી ના 80 ટકા ગણાય છે. આથી સ્વનિર્ભર શાળા સંચાલકોને કોઈ પણ પ્રકારનું નુકસાન વેછવું પડ્યું નથી. આ સંજોગોમાં વાલીઓ પાસેથી આખા વર્ષ દરમિયાનની ફી લેવી યોગ્ય નથી. સુરત વાલીમંડળ દ્વારા 50 ટકા ફી માફીની માંગ સાતે આજે ડીઈઓ કચેેરી રજૂઆત કરવામાં…
સુરત શહેરને આ વર્ષે સ્વચ્છતામાં બીજો ક્રમ મળતાં જ તંત્ર જાણે સ્વચ્છતા (cleanliness) કરવાનું ભૂલી ગયું છે. સુરતે સ્વચ્છતામાં પાછલાં બે વર્ષ સતત પછડાટ ખાધી હતી અને ત્યારબાદ સ્વચ્છતામાં બીજો ક્રમ આવતાં શાસકો તેમજ મનપા તંત્રએ પણ ખૂબ વાહવાહી મેળવી હતી. પરંતુ શહેરમાં ડોર-ટુ-ડોરની ગાડીઓ (Door to Door Garbage) જે-તે વિસ્તારમાં સમયસર ફરી રહી નથી અને કચરો ઊંચકવાની કામગીરી જાણે ભૂલી ગયા છે. શહેરમાં ઠેકઠેકાણે કચરાના ઢગ ત્રણ-ચાર દિવસ સુધી પડી રહેવા છતાં કોઈ કચરો ઊંચકવા આવી રહ્યું નથી. જેથી જે-તે વિસ્તારમાં સ્થાનિકો (Citizens) પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શહેરમાં અડાજણ પાટિયા વિસ્તારમાં મનપાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાસે જ ઘણા દિવસથી…