ચૂંટણી પંચે શુક્રવારે રાજકીય પક્ષો અને નેતાઓ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે.. હવેથી ઉમેદવારી કરનારા નેતા અને પક્ષે ઉમેદવારના અપરાધોની વિગતો ત્રણ વાર જાહેર ખબર દ્વારા જણાવવાની રહેશે. ત્રણેવાર અખબારો અને ટેલિવિઝન પર આ વિગત જાહેર કરવાની રહેશે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખના ચાર દિવસની અંદર પહેલીવાર આવી જાહેર ખબર આપવાની રહેશે. ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખના પાંચથી આઠ દિવસમાં આવી જાહેર ખબર આપવાની રહેશે અને ત્રીજીવાર ચૂંટણી પ્રચાર પૂરો થવાના નવ દિવસ પહેલાં અને ચૂંટણી પ્રચાર પૂરો થાય એ પહેલાં આવી જાહેર ખબર પ્રગટ કરવાની રહેશે. ચૂંટણી પંચે કહ્યું હતું કે જે બેઠક પર ઉમેદવાર બિનહરીફ…
Author: Satya-Day
સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput Death Case) મૌતના મામલામાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આજે સવારથી જ એક મોટી કાર્યવાહીમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એનસીબીની ટિમ મુંબઈ અને ગોવામાં મોટા સ્તરે છાપેમારી કરી રહી છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર, બોલીવુડમાં ડ્રગ કનેક્શનને લઈને આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ મામલામાં હાલ સુધી જે-જે લોકો સાથે પૂછપરછ કરી છે, તેઓએ આ આખા નેટવર્કની જાણકારી એનસીબીના અધિકારીઓને આપી છે. એનસીબીના સુત્રો દ્વારા પહેલા જ આ વાતની જાણકારી આપવામાં આવી હતી કે, હજુ આ મામલામાં ઘણા નવા ચેહરાઓ…
12મી સપ્ટેમ્બરથી ભારતીય રેલવે 40 જોડી વધારાનીન ટ્રેન શરૂ કરવામાં જઈ રહ્યું છે. આ ટ્રેનો માટે શુક્રવારે જ તત્કાલ ટિકિટ બુકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે આ 80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી 30 સ્પેશિયલ અને અન્ય રાજધાની અને 200 સ્પેશિયલ મેલ એક્સપ્રેસથી અલગ હશે. હવે આ ટ્રેનોનું સંચાલન શરૂ થયા બાદ દેશમાં ચાલતી કુલ ટ્રેનની સંખ્યા 310 પર પહોંચી છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે પહેલા જ કહ્યુ હતુ કે આ ટ્રેનોની દેખરેખ રાખ્યા બાદ માલુમ પડી રહ્યું છે કે કઈ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ કેટલું લાંબું છે. તો આ ટ્રેનના બુકિંગ, રૂટ સહિતની માહિતી મેળવીએ જેનાથી તમને મુસાફરી પહેલા કોઈ…
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ઝડપીથી વધી રહ્યો છે. હાલ સુધી 46 લાખ 57 હજાર 379 લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. શુક્રવારે 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 654 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. એક દિવસમાં મળેલો સંક્રમીતોનો આ આંકડો સૌથી વધુ છે. અગાઉ ગુરુવારે 96 હજાર 760 નવા દર્દીઓ મળ્યા હતા. દરમિયાન ખુશી ની વાત એ છે કે દર્દીઓની સાજા થવાની ગતિ પણ વઘી રહી છે. શુક્રવારે રેકોર્ડ 81 હજાર 455 લોકોને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. એક દિવસમાં સાજા થનારની આ સૌથી વધુ સંખ્યા છે. અગાઉ 8 સપ્ટેમ્બરે 74 હજાર 607 લોકો સાજા થયા હતા. આ સાથે સાજા થનારની સંખ્યા હવે…
ગુજરાત સરકારે નવરાત્રિનું આયોજન કરવાના આપેલા સંકેત સામે તબીબી જગતે નારાજગી દર્શાવી છે. પ્રવર્તમાન સંજોગોમાં નવરાત્રિનું આયોજન થશે તો લોકો મોટાપાયે એકત્ર થઇ શકે છે અને જેના કારણે સંક્રમણ વધી શકે છે તેવી અમદાવાદ મેડિકલ એસોસિયેશને આશંકા વ્યક્ત કરી છે. આ વખતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે નહીં માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન પત્ર લખીને સરકારને રજૂઆત કરશે. આગામી ૧૭ ઓક્ટોબર-શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા માટે ઇવેન્ટ મેનેજરો દ્વારા રાજ્ય સરકાર પર દબાણ ઉભું કરવામાં આવ્યું છે. જેના પ્રતિસાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, ‘નવરાત્રિમાં શક્ય તેટલી છૂટ આપીશું.’ પરંતુ નવરાત્રિના આયોજન…
રૂપાણી સરકારને ફાળે વધુ એક સિધ્ધી નોંધાઈ છે. ગુજરાત સરકારે સતત બીજી વાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની સિદ્ધિ મેળવી છે. સમગ્ર દેશમાં સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિગમાં ગુજરાતનો નંબર 1 આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારનાં રોજ આ રેન્કિગ જાહેર કરાયું હતું. આ પરિણામ સરકાર દ્વારા માત્ર સ્ટાર્ટ અપને ટેકો નહીં પરંતુ નવા સ્ટાર્ટ અપ અને ઈનોવેશનના નિર્માણને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનું પ્રતિબિંબ છે. સરકારે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા તેમજ યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અસંખ્ય પગલા લીધાં છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી સામેલ છે. ઉદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે…
ટ્રમ્પે પરમાણુ હિથયારો બાબતે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવાં એવાં હિથયારો છે, જેની દુનિયાને ખબર જ નથી. જિનપિંગ અને પુતિને તો કલ્પના પણ નહીં કરી હોય કે અમેરિકા પાસે કેવા હિથયારો છે! અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિનિયર પત્રકાર બોબ વૂડવર્ડના પુસ્તક માટે આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવા પરમાણુ હિથયારો છે, જેની કલ્પના પણ દુનિયાએ કરી નહીં હોય. પુતિન-જિનપિંગે વિચાર્યું પણ નહીં હોય એવા અને એટલા હિથયારો અમેરિકન લશ્કર પાસે છે. ટ્રમ્પના દાવા પ્રમાણે અમેરિકાના એક પણ પ્રમુખે એટલું પરમાણુ હિથયારો બનાવવાનું કામ નથી કર્યું, જેટલું તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં થયું છે. દુનિયાએ ક્યારેય…
JEE Main Exam-2020નું પરિણામ શુક્રવારે રાત્રે 11 વાગ્યે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. NTAએ જૉઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ (JEE)નું રિઝલ્ટ પરીક્ષા લેવાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં જાહેર કરી દીધુ છે. JEE મેઈન એક્ઝામના શુક્રવારે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં 24 વિદ્યાર્થીઓને પૂરા 100 અંક પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન માટે લેવાતી આ પરીક્ષા કોરોના મહામારીના કારણે અગાઉ 2 વખત ટાળવામાં આવી ચૂકી છે. આખરે ઉગ્ર વિરોધ વચ્ચે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. આ એક્ઝામમાં સૌથી વધુ તેલંગાણાના 8 વિદ્યાર્થીઓએ 100 ટકા પરસેન્ટાઈલ મળ્યાં છે. જ્યારે દિલ્હીના 5, રાજસ્થાનના 4,…
સુરત શહેરમાં કોરોનાવાયરસ (Corona Virus) ના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં શહેરમાં કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં પણ ખાસ કરીને સુપર સ્પ્રેડરો જેવા કે કરિયાણાના દુકાનદાર, રિક્ષાચાલકો, સલૂન, વિવિધ ક્ષેત્રમાં એકાઉન્ટન્ટ વગેરેમાં સંક્રમણ વધુ જોવા મળતાં મનપા દ્વારા સુપર સ્પ્રેડરોને શોધી કોરોના કાબૂમાં કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માટે મનપા દ્વારા ગુરુવારથી સુપર સ્પ્રેડરોમાં કોરોનાનું સંક્રમણ શોધવા માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ શરૂ કરાયું છે. જે અંતર્ગત ગુરુવારે રિક્ષાચાલકોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષાચાલકો-ટેક્સી ડ્રાઈવરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ અંતર્ગત…
રાજયમાં ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે રોડ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ- રસ્તાઓમાં થયેલા ભારે નુકસાનન પલે રાજયભરમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ વિપક્ષ કોંગ્રેસ દ્વ્રારા પણ રાજય સરકારની આકરી ટીકા કરવામા આવ્યા બાદ હવે રાજય સરકારે શહેરી વિસ્તારોમાં રોડ રસ્તાના રિ-સરફેસિંગ (road re-surfacing) માટે 160 કરોડની રકમ ફાળવી છે. જેના પગલે હવે આ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.રાજ્યની 155 નગરપાલિકાઓમાં ખાડા તેમજ માર્ગોના ધોવાણ બાદ રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. 160 કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ફાળવ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે શહેરો-નગરોમાં ભારે નુકસાન થયેલા રસ્તાઓના મરામત કામો ઝડપથી હાથ ધરવામાં આ…