કોરોના મહામારી ચાલી રહી છે તેથી હાલ ચૂંટણી ન યોજવામાં આવે તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની શક્યતાઓ છે. સાથે કહ્યું છે કે કોરોના મહામારી કોઇ ચૂંટણીને અટકાવવાનું કારણ ન બની શકે. બિહારમાં બે મહિના પછી ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. જેને લઇને ચૂંટણી પંચે કેટલીક ગાઇડલાઇન પણ જારી કરી દીધી છે. આ સિૃથતિ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જે પીઆઇએલ દાખલ થઇ હતી તેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે હજુસુધી બિહારમાં ચૂંટણી યોજવા અંગે કોઇ જ જાહેર નામુ નથી બહાર પાડયું, એવામાં આટલા…
Author: Satya-Day
ગુજરાત રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેથી રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે એટલે કે 30 તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે. તો 31 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજથી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.ગુજરાતમાં અત્યારસુધી મોસમનો ૧૦૦%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેની પૂરી સંભાવના છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં (Sardar Sarovar) પાણીની આવકમાં વધારો થતાં ડેમમાંથી દોઢ થી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરાતા નર્મદામાં પુરની સ્થિતિ ઉભી થવાની સંભાવનાને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ નદી કિનારાના 17 જેટલા ગામોને એલર્ટ (Village Alert) કરાયા છે. જ્યારે જિલ્લાના ત્રણ તાલુકાના ૨૮ ગામોને એલર્ટ કરાયા માછીમારીને નદીમાં મચ્છીમારી કરવા ન જવા માટે પણ સૂચનાઓ અપાઈ છે.ભરૂચ ડિઝાસ્ટર વિભાગના (Bharuch Disaster Management Department) સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર 30 ઓગષ્ટ સુધીમાં જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી છે. સાથે જ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી (Narmada Dam) દોઢથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાની કવાયત હાથ ધરાવવાની છે.…
શહેરમાં (Surat City) હવે કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું છે. પરંતુ શહેરમાં ફરીથી કોરોના બેકાબુ ના બને તે માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પણ શહેરમાં સઘન ચેકીંગ કરવામાંઆવી રહ્યું છે. કામકાજના સ્થળો પર એસ.ઓ.પી નું પાલન ન કરતા હોય તેવી સંસ્થાઓને બંધ પણ કરવામાં આવી રહી છે. સુરત મનપાના કતારગામ ઝોન વિસ્તારમાં વિવિધ ડાયમંડ યુનિટો (Diamond Unit) તેમજ દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નંદુ દોષીની વાડી પાસે એન.નરેશ એન્ડ કંપની ડાયમંડ યુનિટમાં કામ કરતા રત્નકલાકારોના રેપીડ એન્ટીજેન ટેસ્ટ કરતા 14 રત્નકલાકારો પોઝિટિવ આવતા સમગ્ર યુનિટ બંધ કરાવાયું હતું. શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મનપા દ્વારા…
અમેરિકાનું સૌથી જૂનો ડિપાર્ટમેન્ટ સ્ટોર લોર્ડ એન્ડ ટેલર કોરોના વાયરસ મહામારીના દબાણ હેઠળ પોતાના સમસ્ત સ્ટોર બંધ કરી દેશે, આમ 200 વર્ષથી ચાલી રહેલી ડિપાર્ટમેન્ટ સ્ટોરની ચેનનો અંત આવશે. કંપનીએ ગુરુવારે કહ્યું હતું કે તે પોતાના સમસ્ત 38 સ્ટોર પતાવટના વેચાણ માટે બંધ કરી દેશે, જો કે ગયા અઠવાડિયે કંપનીએ નિર્ણય લીધો હતો કે તે પોતાના 14 સ્ટોર્સને ખુલ્લા રાખશે. લોર્ડ એન્ડ ટેલર મેનહટ્ટનમાં 1824માં શરૂ કરાયો હતો તેને ગયા વર્ષે ફ્રાન્સની કંપની લે ટોટે ઈન્કને વેચવામાં આવ્યો હતો. આ મહિને બંનેએ વર્જીનિયામાં એક અદાલતમાં નાદારીથી સુરક્ષા માટે અરજી દાખલ કરી હતી.લે ટોટેના વલરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં કહ્યું હતું ‘અમે…
આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Aviation Ministry) કોરોના રોગચાળા (Corona Crisis) વચ્ચે 78 નવા હવાઇ માર્ગો (air route) ને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ‘ઉડાન’ (Udan Scheme) યોજનાનો આ ચોથો તબક્કો – ‘ઉડાન-4.0’ (Udan-4.0) (fourth phase) છે. દેશના દૂરના વિસ્તારો સાથે જોડાણ વધારવા માટે નવા રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પૂર્વના રાજયો અને પર્વતનો વિસ્તાર (north east states – hill stations) મુખ્ય રીતે શામેલ છે. ગુવાહાટીથી તેજુ, રૂપસી, તેજપુર, પેસીઘાટ, મીસા અને શિલોંગ જવાના માર્ગ સાથે ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લોકો આ ઉડાન-4.0 રૂટ હેઠળ હિસારથી ચંદીગઢ, દહેરાદૂન અને ધર્મશાળા જવા માટે સમર્થ…
ગુજરાતમાં કોરોનાનો ચેપ દિવસે અને દિવસે વધતો જઈ રહ્યો છે. તો બીજી તરફ બહોળી માત્રામાં લોકો સાજા થઈને ઘરે પણ જઈ રહ્યા છે. હવે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં અચાનક વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1190 પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને હવે 91,329એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 1193 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. એ સાથે જ રાજ્યમાંથી અત્યાર સુધીમાં ઘરે સાજા થઈને જનારાની સંખ્યા 73,501 થઈ ગઈ છે. તેમજ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક…
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્તમાન સમયમાં કોમામાં જતા રહ્યા છે. તેઓ સતત વેન્ટિલેટર સપોર્ટ પર છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલને મેડિકલ બુલેટીન જારી કરીને કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ છેલ્લા 16 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને બ્રેઈન સર્જરી બાદ ગંભીર સ્થિતિમાં છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. ત્યાં તેમની કિડનીની સ્થિતિ મંગળવારથી ઠીક નથી. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. તેમની હાલત…
અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે તો બંધ કરી દેવામાં આવ્યા છે. અંબાજી મંદિર દ્રસ્ટ દ્વારા અગાઉ મંદિરના કપાટ 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી નહીં, પરંતુ 2 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ ચાલું થઈ જશે. ભાઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શરૂ થઇ જતું હોય છે. પરંતુ કોરોના મહામારીનું ગ્રહણ ચાલું વર્ષે દરેક તહેવારોમાં લાગી રહ્યું છે. કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે 24…
17 સપ્ટેમ્બર એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મદિવસ છે. આ વર્ષે પીએમ મોદી 70 વર્ષના થઈ જશે. તેથી ભાજપ (BJP) આ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે. આ વખતે પણ તેમનો જન્મદિવસ ‘સેવા દીવસ’ તરીકે ઉજવાશે. કોરોનાવાયરસના (Corona Virus) વધતા સંક્રમણને કારણે, તેમનો જન્મદિવસ સરળતા સાથે ઉજવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોઈ એવો કાર્યક્રમ યોજવામાં આવશે નહીં જ્યાં વધુ ભીડ હોય. તેમના જન્મદિવસ પર માસ્ક, સેનિટાઇઝર અને દવાઓનું વિતરણ કરવાની તૈયારીઓ ચાલુ છે. આ ઉપરાંત રક્તદાન શિબિર પણ યોજવામાં આવશે. 70 માં જન્મદિવસ પર 70 કાર્યક્રમો તાજેતરમાં જ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ભાજપ…