B.COM માં છેલ્લા 25 દિવસમાં 30,151 અને B.B.A. માં 6720 પ્રવેશ નોંધાયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિજ્ઞાન પ્રવાગની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ B.COM અને B.B.A ની 61 કોલેજોની 30,900 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આવતીકાલે પ્રવેશ માટેની અંતિમ તારીખ હોવા છતા અનમતના પ્રમાણપત્રો અને દાખલાઓથી વંચિત વિદ્યાર્થીઓ હજી સુધી પ્રવેશ ફોર્મ ભરી શક્યા નહોતા. આ અંગે સેનેટ મેમ્બર કનુ ભરવાડની રજૂઆત બાદ વિદ્યાર્થીઓની અગવડતાને ધ્યાનમાં રાખીને યુનિ. તંત્ર દ્વારા B.COM અને B.B.A ની પ્રવેશ પ્રક્રિયા માટે પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હવે 26 જૂલાઈથી લંબાઈને 6 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા 10 જૂલાઈએ…
Author: Satya-Day
રાજયની શાળાઓમાં શિક્ષણ ફી અને ઓનલાઈન શિક્ષણનાં વિવાદ વચ્ચે પ્રાથમિક શાળાની હોમ લર્નિંગ ની એકમ કસોટી લેવાની કામગીરીની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે. સરકાર પ્રાથમિક વિભાગમાં એકમ કસોટી લેવાની પોતાની જીદ્દ પર મક્કમ છે. હોમ લર્નિંગના પ્રશ્નપત્રો જિલ્લા કચેરી અને શાળાઓને મોકલવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે. જો કે ફી અને ઓનલાઈન શિક્ષકોને રજા આપી દેવાતા હવે આ પ્રશ્નપત્રો બાળકો સુધી કેવી રીતે પહોંચશે તે મોટો પ્રશ્ન છે. રાજયની પ્રાથમિક શાળાઓમાં તા. ૮ જૂનથી હોમ લર્નિંગ શરૂ કરવામાં આવ્યુ છે અને તા. ૧પ જૂનાૃથી દૂરદર્શનનાં માધ્યમથી બાળકોને ભણાવવામાં આવી રહયા છે. દોઢેક મહિનાનાં આ અભ્યાસ બાદ મુલ્યાકનનાં રૂપમાં ધો.…
રાજ્ય સરકારે ફી અંગે કરેલા નિર્ણયના વિરોધમાં હવે શાળા સંચાલકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોટના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે શાળા સંચાલક મહામંડળે 12 રાજ્યોની હાઇકોર્ટના ચૂકાદાને આધારે પિટીશન દાખલ કરી છે. ત્યારે મહત્વનું છે કે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓને ફી લેવાની મનાઇ ફરમાવી છે. ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા 12 લાખથી…
શહેરમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આઈ ફોલો અભિયાનમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશથી અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જો કે આ કેમ્પઈનમાં પોલીસ અને TRBના જવાનો માટે એક પરિપત્ર જાહેર કરાયો છે, આજ ક્રમમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના લોકો ઉપરાંત પોલીસ વિભાગ અને TRB જવાનોને પણ ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, ટ્રાફિક DCP પ્રશાંત સુંબેએ આ અંગે એક લેખિત આદેશ કર્યો છે, જેને કારણે પોલીસ વિભાગમાં રોષ ફેલાયો છે.આ આદેશ અનુસાર, 26મી જુલાઈના રોજ આયોજિત ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેવું પોલીસ અને TRB જવાનો માટે ફરજીયાત…
ગુજરાત સરકારે રાજ્યના ત્રણ એડિશનલ મ DG રેન્કમાં હાલની જગ્યા ઉપર જ બઢતી અપાઈ છે. તેમને બઢતી આપીને પોસ્ટ અપગ્રેડ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે 1985 બેંચના બે IPS અધિકારીઓ લાંચ રિશ્વત બ્યૂરોના સ્પેશિયલ ડાયરેક્ટર કેશવ કુમારને ACBના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમના જ બેંચમેટ પોલીસ રિફોર્મ્સના ADG વિનોદ મલ્લને પણ ડીજીમાં બઢતી આપવામાં આવી છે.આ ઉપરાંત 1987 બેંચના ADG સંજય શ્રીવાસ્તવને પણ ડીજી રેન્કમાં બઢતી આપવામાં આવી છે.]\ DG સંજય શ્રીવાસ્તવ CID ક્રાઈમના એડિશનલ DG હતા, જેમને CID ક્રાઈમના DG બનાવવામાં આવ્યા છે. DG સંજય શ્રીવાસ્તવ રાજ્યના ગુપ્તચર વિભાગના વડા છે અને તેમને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (SCRB) અને ટેક્નિકલ…
અંકલેશ્વરમાં મહામારીએ એટલી હદે વકરી છે કે આગામી સમયમાં માઠા પરિણામ ભોગાવવા ન પડે તેના માટે શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધ કે લોકડાઉન રાખવાનો નિર્ણય છે.. અંકલેશ્વરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા અગાઉ વેપારી એસોસિયેશને બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છીક બજાર બંધ એટલે કે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ દિશામાં આજે એક મોટા નિર્ણય લેવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. એટલે અંકલેશ્વરમાં બપોરના 1 વાગ્યા સુધી જ બજારો ખૂલશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં શનિ-રવિવારે સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નિર્ણયને લઈ બજારમાં ખરીદી માટે આજે લોકોની ભીડ ઉમટી…
સુરતમાં આજ રોજ યોજાનારી સી.આર પાટીલની કાર રેલી રદ્દ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોટી સંખ્યામાં મેદની જમા થઈ જતા રેલી રદ્દ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સી.આર.પાટલીની આવતી કાલની પણ તમામ રેલીઓ રદ્દ કરવામાં આવે છે. કોરોનાના કહેર વચ્ચે એક તરફ શહેરમાં 144 ની કલમ લગાવવમાં આવી છે તો આવી નેતાઓ પોતાની ગંદી પ્રસિધ્ધી માટે લોકોના જીવના જોખમે રેલીનું આયોજન કરી રહ્યા છે. આ અંતર્ગત કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સી.આર.પાટીલની રેલી પર આકરા પ્રહાર કરતા સુરત એરપોર્ટથી નીકળનાર રેલીને રદ્દ કરી દેવામાં આવી છે. જો કે રેલી હજી શરૂ પણ થઈ નહોતી…
ઈઝરાયેલના વૈજ્ઞાાનિકોની એક ટીમ વિશેષ વિમાનમાં ભારત આવી રહી છે, જે લાખો લોકો પર આ ટેકનિકથી ટેસ્ટ કરશે. ભારતમાં આ ટેકનિક સફળ થશે તો માત્ર 30 સેકન્ડમાં કોરોનું ટેસ્ટિંગ થઈ શકશે. જે ટેકનિકથી ભારતમાં ટેસ્ટ થવાના છે તેમાં કોઈ વ્યક્તિના અવાજથી લઈને શ્વાસના માધ્યમથી કોરોનાના સંક્રમણની ઓળખનો સમાવેશ થાય છે. જોકે, હજીર સરકારના સ્તરે ઈઝરાયેલની ટીમના આગમન અંગે કોઈ પુષ્ટી મળી નથી. પરંતુ દૂતાવાસ તરફથી આ દાવો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલ સરકારના જણાવ્યા મુજબ આગામી સપ્તાહોમાં ઈઝરાયેલના વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે અભૂતપૂર્વ એન્ટી કોરોના સહયોગ અભિયાન ચલાવવામાં આવશે. ઈઝરાયેલની આ ટીમ ભારતના સંરક્ષણ બાબતોની સંસૃથા…
સમગ્ર શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પાલ-પાલનપોર, રાંદેર તેમજ અડાજણ વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના પગલે મનપા કમિશનર, મનપા અધિકારી, તેમજ ખાસ ફરજ પર હાજર આર.જે.માકડિયા અને સ્થાનિક નગરસેવકોએ પાલ વિસ્તારના સોસાયટીના પ્રમુખો સાથે પાલ કોમ્યુનિટી હોલ ખાતે મીટિંગ કરી હતી અને સંક્રમણનો ફેલાવો કઈ રીતે અટકાવી શકાય તે અંગેની સમજણ આપી હતી. આ બેઠકમાં ફરી લોકડાઉન થવું જોઈએ તેવી લોકોએ માંગણી કરી હતી. જે અંગે મનપા કમિશનરે સ્થાનિકોને સ્વયં શિસ્ત પાળવા માટે અપીલ કરી હતી. તેમજ રાંદેર ઝોનમાં આવેલા મોરા ભાગળ ખાતે એચ.ટી.એમ.એસ. બેટાવાળા કોવિડ કેર આઈસોલેશન સેન્ટર અને પાલનપુર કેનાલ રોડ…
ગુજરાત શિક્ષણ વિભાગે રાજયની સ્વનિર્ભર શાળાઓ બંધ થઇ ત્યારથી પુન: વાસ્તવિક શરૂ થાય, તે સમયગાળા સુધી કોઇપણ પ્રકારની ટયુશન ફી વસૂલ કરી શકાશે નહી તેવા 16મી જુલાઇએ બહાર પાડેલા પરિપત્રના શાળા સંચાલક મંડળોમાં ભારે પ્રત્યાઘાત પડયા છે. આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે જો રાજયની સ્વનિર્ભર શાળાઓ પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે અને આ બેકાર થયેલા યુવાનો રાજય સરકારની સામે યુધ્ધે ચડે તે પહેલાં અમારી રજૂઆતને ખૂબ જ ગંભીરતાથી લઇને યોગ્ય અને પરિપક્વ નિર્ણય જાહેર કરવા રાજયના મુખ્યમંત્રીને વિનંતી કરી છે. તેની સાથે શાળાના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર ચુકવવા માટે લોનની વ્યવસ્થા કરી આપવા…