અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ વગર સ્કૂલોએ શરૂ થયે ફીના ઉઘરાણા કર્યાં છે. એટલું જ નહી સ્કૂલો શરૂ થાય ત્યારે માસ્ક અને સેનેટાઇઝરના પૈસા પણ વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવશે તેવી હાલથી જાહેરાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડતી કલોલની શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલએ નર્સરીથી લઈને ધોરણ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની અંદાજે રૂ.૫૦થી ૬૦ લાખ ફી માફ કરી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તેમની પ્રથમ સત્રની ફી માફ કરવા અંગે સ્કૂલોએ ઓફિશિયલી પત્ર જાહેર કર્યો છે. આમ અમદાવાદની ખાનગી સ્કૂલો પર સરકારના ચારેય હાથ છે, કારણ કે સુચનાનું ઉલ્લંઘન કરી સ્કૂલો…
Author: Satya-Day
આજે લાગૂ લૉકડાઉન 5.0નો આજે પ્રથમ દિવસ છે. ગૃહમંત્રાલયની ગાઈડ લાઈન મુજબના નિયમો આજથી સમગ્ર દેશમાં લાગૂ થઈ ગયા છે. જે 30-જૂન સુધી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5ને અનલૉક-1 નામ આપવામાં આવ્યું છે. જો કે નવી ગાઈડલાઈન પ્રમાણે, કેન્દ્ર સરકારે 1-જૂનથી લૉકડાઉનમાં મહદઅંશે છૂટ આપી દીધી છે. અનેર રાજ્યોએ અન્ય રાજ્યોમાં અવરજવર કરનારા લોકો માટે સરહદો ખોલી દીધી છે અને ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટને મંજૂરી મળી ગઈ છે. બીજી તરફ કોરોનાના સતત કેસો વધવાને પગલે મહારાષ્ટ્ર અને તમિલનાડુએ તેની મંજૂરી નથી આપી. જ્યારે ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોએ 31-મે બાદ પણ ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
ભારત વિશ્વસ્તરે સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સતત આગળ વધી રહ્યુ છે. દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો 1,85,398 સુધી પહોંચી ગયો છે. જ્યારે 5100થી વધુ લોકોના મોત થયા છે. રવિવારે સામે આવેલા કેસોની સાથે જ ભારતે ટોપ 10 દેશોની યાદીમાં એક સ્થાન આગળ વધી ગયુ છે. અત્યાર સુધી નવમા સ્થાને રહેલુ ભારત હવે જર્મનીને પાછળ છોડીને 8માં સ્થાને પહોંચી ગયુ છે. જર્મનીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંકખ્યા 1,83,000 છે. સૌથી પ્રભાવિત અમેરિકા 18 લાખથી વધુ કેસની સાથે પહેલા સ્થાને છે. અમેરિકામાં અત્યાર સુધી એક લાખથી વધુ લોકો માર્યા ગયા છે. જે પછી બ્રાઝિલ બીજા નંબરે છે, અહીં કુલ કેસોની સંખ્યા પાંચ લાખથી…
હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં છેલ્લા 48 કલાકમાં સર્જાનારા ઓછા દબાણના કારણે દરિયાકાંઠાના આ બંને રાજ્યોમાં આવનાર બે દિવસમાં એટલે કે 3 જૂન સુધી વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના ચિભડા ગામે પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના કોટડાસાંગણી સહિત આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. અમરેલીના ધારી પંથકમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાંભાના…
કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવતા 51 દિવસથી પોતાના ઘરોમાં પુરાયેલા લોકોની માનસિક સ્થિતિ વિચલિત થવા લાગી છે. વિચિત્ર પ્રકારના ડર, ભવિષ્યની અસ્થિરતા, તણાવ અને વિચિત્ર ચિંતાને લઈ લોકો એટલી હદે હતાશ થઈ ગયા છે કે, તેમના મનમાં આત્મહત્યા કરી લેવાના વિચારો ઘેરાવા લાગ્યા છે. હરિયાણા સ્વાસ્થ્ય વિભાગના મેન્ટલ હેલ્થ ડિવિઝને કરેલા એક સર્વેમાં આ પ્રકારનો ખુલાસો થયો છે. આ સર્વે રિપોર્ટ જોઈને હેલ્થ ડિપાર્ટમેન્ટ સતર્ક થઈ ગયું છે અને સાથે જ લોકોની હતાશા દૂર કરવા કમર કસી લેવાઈ છે. હરિયાણા સરકારના આદેશો બાદ સ્વાસ્થ્ય વિભાગના મેન્ટલ હેલ્થ ડિવિઝને હતાશ લોકોની મદદ અને તેમનું કાઉન્સેલિંગ કરવા 211 સ્વાસ્થ્ય નિષ્ણાંતો…
એર ઇન્ડીયાએ એક ઓફિશીયલ નિવેદન દ્વારા આ જણાવ્યું છે કે પોતાનાં પાયલટ અને ચાલક દળનાં સભ્યો માટે , ‘ઉડાણ ભરતા પહેલાં તેમની કોવિડ-19 નાં તપાસનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ.’ મહત્વનું છે કે શનિવારનાં રોજ દિલ્હીથી માસ્કો માટે એર ઇન્ડીયાની એક ફ્લાઇટનો એક પાયલટ કોરોના સંક્રમિત થવાને વિશે હવાઈ બંદરનાં કર્મચારીઓને ખ્યાલ આવ્યાં બાદ વિમાનને વચ્ચોવચ જ તેને પરત આવવાનું કહી દેવામાં આવ્યું. જો કે વિમાનમાં કોઇ જ યાત્રી સવાર ન હોતાં. પાયલટની કોવિડ-19 ની તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ મેડિકલ રિપોર્ટની તપાસ કરવાવાળી એક ટીમથી ભૂલ થઇ ગઇ અને તેને ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યો. એર ઇન્ડીયાનાં કાર્યકારી નિર્દેશક,…
લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની અવર-જવર અને દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો મુદ્દે જન સ્વાસ્થ નિષ્ણાંતોનું કહેવુ છે કે જો પ્રવાસી મજૂરોને લોકડાઉન લાગૂ કર્યા પહેલા વતન જવાની મંજૂરી આપી દેવાઇ હોત તો દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોને અટકાવવા શક્ય હતા, કારણ કે એ સમયે મહામારીનો ફેલાવો ઓછા પ્રમાણમાં હતો. એમ્સ, જેએનયૂ, બીએચયૂ સહિત અન્ય સંસ્થાઓના જન સ્વાસ્થ નિષ્ણાંતોએ કોરોના વાયરસ પર એક રિપોર્ટમાં કહ્યુ કે પરત ફરી રહેલા પ્રવાસીઓ હવે દેશના દરેક ભાગમાં સંક્રમણ સાથે પહોંચી રહ્યા છે અને એવા વિસ્તારોમાં જઇ રહ્યા છે જ્યાં કોરોના સંક્રમણના કેસો નહિવત કે ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા. ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન,…
સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે સુરતમાં ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન (containment zone) માં મુકાયા હતા. ત્યારબાદ લોકડાઉન 4.0 (lockdown4) માં ઘણા વિસ્તારોને છુટછાટ આપવામાં આવી હતી. જે વિસ્તારોમાં કેસો ઓછા થયા તે વિસ્તારોમાં છુટછાટ અપાઈ હતી. પરંતુ જ્યાં કેસો છે તે સમગ્ર વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં જ મુકવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકો દ્વારા માત્ર ઘર પુરતું જ કે સોસાયટી પુરતું જ કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માંગણી કરાતા ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન(central zone, surat) વિસ્તારમાં રહેતા લોકોને ક્લસ્ટર (cluster) તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા…
ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરને જોડતા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના (golden Bridge) માર્ગ પર 2 ફૂટનું ગાબડું પડતાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારે બ્રિજ સાંકડો હોવાને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે એટલે કે, અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી નાનું ગાબડું પડ્યું હતું. જોકે આજરોજ એકાએક 2 ફૂટ ઊંડું ગાબડું પડી ગયુ હતું જેના કારણે ગોલ્ડન બ્રિજ પરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેમાં વાહન વ્યવહાર ઉપર અસર થતાં લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. ઇ.સ. 1881માં બ્રિટીશ સરકારે તે સમયે રૂપિયા 45 લાખના ખર્ચે…
18 મેથી શરૂ થયેલા કોરોનાવાયરસ પ્રેરિત લૉકડાઉનનો ચોથા તબક્કો રવિવારે પૂર્ણ થયો હતો. આ ચોથા તબક્કામાં રવિવારે સવારે 8 વાગ્યા સુધી 85,974 સીઓવીડ -19 કેસ નોંધાયા હતા, જે દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી લગભગ અડધા છે.લોકડાઉન 4.0 જેન 31મેની મધ્યરાત્રિએ સમાપ્ત થયું હતું, તેમાં કોરોનાવાયરસ ચેપના કુલ કેસોના 47.20 ટકા કેસો નોંધાયા છે, જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પરથી જાણવા મળ્યું છે. લૉકડાઉન, જે પ્રથમ 25 માર્ચે શરૂ કરવામાં આવ્યું હતું અને 21 દિવસ સુધી વિસ્તર્યું હતું, તેમાં 10,877 કેસ નોંધાયા હતા, જ્યારે બીજા તબક્કાના કર્બ્સ જે 15 એપ્રિલથી શરૂ થયા હતા અને 3 મે સુધી 19 દિવસ સુધી લંબાયા હતા,…