દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1684 નવા કેસો સામે આવ્યા છે, જ્યાકે 37 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આકંડા પ્રમાણે, નવા 1684 નવા કેસો સાથે જ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23,077 થઈ ગઈ છે. જ્યારે આ જીવલેણ વાઈરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો વધીને 718 પર પહોંચ્યો છે. દેશના 23077 કેસોમાંથી 17,610 એક્ટિવ કેસો છે, જ્યારે 4848 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા…
Author: Satya-Day
કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ને ૩ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવશે. આવનારી ૩૦ મે ના રોજ તેઓ રિટાયર્ડ થવાના હતા. પણ રાજ્યમાં વધી રહેલી કોરોના ની સ્થિતિને જોતા તેઓ ૩ મહિના વધુ ફરજ પર હાજર રહેશે
કોરોના વાયરસથી દેશના વિવિધ ક્ષેત્ર ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. જેના કારણે કર્મચારીઓની નોકરી ઉપર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અવારનવાર છૂટા કરવાના સમાચાર મળી રહ્યા છે. હવે અહેવાલ છે કે ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગી 1000 કર્મચારીઓને છૂટા કરી શકે છે.એક અહેવાલ અનુસાર, કોરોના સંકટને કારણે માગમાં 60 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર સ્વિગીએ પણ તેની પુષ્ટિ કરી છે, પરંતુ કંપનીએ કર્મચારીઓની સંખ્યા જાહેર કરી નથી. અહેવાલમાં જણાવાયું છે કે ભાડા ઘટાડવા માટે કંપની તેના અડધા ક્લાઉડ કિચનને બંધ કરી શકે છે.સ્વિગી દ્વારા છટણીના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયા…
સુરત શહેરમાં દરરોજ સઘન રીતે સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. કોરોનાએ લગભગ સંપુર્ણ શહેરને પોતાની ચપેટમાં લઈ લીધું છે. ત્યારે સુરત શહેરમાં જે વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ વધુ આવ્યા છે તે તમામ વિસ્તારોમાં સઘન સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ જાહેર સ્થળોને પણ સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તો હવે સુરતમાં કચરાની ડોર-ટુ-ડોરની ગાડીઓને પણ સેનીટાઈઝ કરવામાં આવી રહી છે. સુરતમાં તંત્ર દ્વારા તો સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી જ રહી છે. પરંતુ સુરતના નગરસેવકોએ પણ આ કામગીરી હાથમાં લીધી છે. સુરતમાં ધારાસભ્યથી લઈ ડે.મેયર અને કોર્પોરેટરો પણ સેનીટાઈઝેશનની કામગીરી જાતે પોતાના વિસ્તારોમાં તેમજ જાહેર સ્થળોમાં કરી રહ્યા છે. ગઈકાલે ડે.મેયર…
સોનિયા ગાંધીએ ગુરુવારે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન પણ ભાજપ કોમી સંવાદિતા અને નફરતનો વાયરસ ફેલાવતો જ રહ્યાં છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં તેમણે ભાજપ પર માત્ર નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો, એટલુ જ નહીં પરંતુ કોરોના સામેના યુદ્ધમાં મોદી સરકારની વ્યૂહરચના પર પણ પ્રહાર કર્યા હતા. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકારે પીપીઈ અને પરીક્ષણ અંગે કોંગ્રેસના સૂચનોનું ધ્યાન રાખ્યું નથી. કોરોના વાયરસ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી થવી જોઇએ ત્યારે ભાજપ કોમી પૂર્વગ્રહો અને નફરત ફેલાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે આપણા સાંપ્રદાયિક સંવાદિતાને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, દરેક ભારતીયને…
કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થા પર પણ સંકટ સર્જાયું છે. આ વાઈરસને ફેલાતો અટકવવા માટે વિશ્વના અનેક દેશમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. કામ-ધંધા ઠપ્પ છે, જેના પગલે નોકરીઓ પર પણ સંકટ આવી ગયું છે. બ્રિટનમાં લૉકડાઉનના કારણે કામકાજ ઠપ્પ હોવાથી કંપનીઓને જંગી આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. જેના કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓના પગાર ઘટાડી રહી છે અથવા તો તેમને નોકરીમાંથી છૂટા કરી રહી છે. કંપનીઓની આ પરેશાનીને ધ્યાનમાં રાખીને હવે બ્રિટનની સરકારે “નોકરી બચાવો યોજના” શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને 80 ટકા પગારની ચૂકવણી સરકાર કરશે. આ માટે સરકારે કંપનીઓ પાસે અરજીઓ મંગાવી છે. જેવી આ…
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 152 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ થઇ સામે આવ્યા છે જ્યારે આ વાયરસને કારણે વધુ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2559 થઇ ગઇ છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 152 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી-ભાવનગર-બોટાદમાં 1-1, છોટાઉદેપુર-નર્મદા-પંચમહાલ અને વલસાડમાં પણ 1-1 કેસ પોઝિટિવ સામે આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2559 થઇ ગઇ છે. જ્યારે વધુ 2 લોકોના…
શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, તાજેતરમાં જ એક શાકભાજી વેચનારને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે એએમસી દ્વારા તમામ લોકોને શાકભાજી કઈ રીતે ખરીદવી તે તમામ બાબતની સલાહ આપવામાં આવી રહી છે. નાગરિકોને પણ દુકાનો અને લારીવાળા પાસે ખરીદી કરવા જતા પહેલા માસ્ક, સેનિટાઈઝર સહિતની સેફ્ટી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, “સફાઈ કામદારો, શાકભાજીવાળા, કરિયાણાની દુકાનવાળાના કારણે વધુ લોકોને ચેપ લાગી શકે છે. પાછલા બે દિવસમાં મોટી સંખ્યામાં શહેરીજનોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શંકાસ્પદ લાગતા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં…
શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ જોડીએ ઘણી હીટ ફિલ્મો આપી છે. રીયલ લાઇફ ઉપરાંત શાહરૂખ અને કાજોલની રીઅલ લાઈફમાં પણ ખૂબ સારી મિત્રતા છે. થોડા સમય પહેલા કાજોલનું પ્રશંસકો સાથે સવાલ-જવાબ સત્ર હતું. આમાં ચાહકોએ તેમના અંગત જીવનમાંથી ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આ બધા સવાલોની વચ્ચે એક પ્રશંસકે કાજોલને એવો સવાલ પૂછ્યો જેની કોઈને અપેક્ષા નહોતી. તે ચાહકે પૂછ્યું હતું કે જો તમારી જીંદગીમાં અજય દેવગન ન હોત તો શું તમે શાહરૂખ ખાન સાથે લગ્ન કર્યા હોત? આ સવાલનો કાજોલે એવો જવાબ આપ્યો કે જેને વાંચીને બધાને આશ્ચર્ય થયું. બધા જાણે છે કે કાજોલ પોતાની વાત કહેવામાં ખચકાતી નથી. ચાહકના…
કોરોના વાયરસ હવે શહેર બાદ ધીમે ધીમે સુરતના જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે. વલસાડના ધરમપુર બાદ આજે સુરતની કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતી ડાંગની યુવતી પ્રીતી કુંવરનો રિપોર્ટ પોઝેટિવ આવતા ફફડાટ મચી ગયો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધતું જઈ રહ્યું છે ત્યારે હવે કેમાંથી દિલ્લાઓ પણ બાકાત રહ્યા નથી