Author: Satya-Day

HIMACHAL

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ગોપાલપુરમાં આજે એક ખાનગી બસ ખાઇમાં પડી જતાં ૩૩ મુસાફરોને ઇજા થઇ હતી, એમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું. ઘાયલોમાં ૧૧ની હાલત ગંભીર હતી. દસ ઘાયલોને ટાન્ડા મેડિકલ કોલેજ મોકલાયા હતા જ્યારે એક જણને પાલમપુરની હોસ્પિટલે ખસેડાયા હતો. સાઘારણ રીતે ઘાયલ થયેલાઓને ગોપાલપુરની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જવાહર બસ સર્વિસની બસ ગોપાલપુર પાસે એક ખાઇમાં પડી જતાં આ દુર્ઘટના બની હતી.

Read More
MISSING

ગુજરાતમાં માનવ તસ્કરી કરતી ટોળકી સક્રિય બની રહી છે. જેમાં ખાસ કરીને સગીરાઓનું અપહરણ કરીને મહારાષ્ટ્રમાં વેચી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. મણિનગરમાંથી સગીરાનું અપહરણ કરનારી મહિલા અને યુવકે ૫૦થી વધુ સગીરાને વેચી દીધી હોવાની શંકા આધારે પોલીસ તપાસ કરી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષો પહેલા કાગડાપીઠ વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીને શોધવામાં સીબીઆઇ પણ નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાંથી દિન પ્રતિદિન સગીરાઓ ગુમ થવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે માનવ તસ્કરી કરતી ટોળકી દ્વારા સગીરાઓનું અપહરણ કરીને વેચી દેવામાં આવતી હોવાની શંકા સેવાઇ રહી છે, ગઇકાલે ઇસનપુર પોલીસે માયા અને પ્રકાશ મરાઠી નામના શખ્સોની ધરપકડ કરી…

Read More
girl in jail

અમદાવાદના  કૃષ્ણનગરમાંથી ગુમ થયેલી 14 વર્ષની સગીરા ખૂનના ગુનામાં સુરત જેલમાં સજા ભોગવી રહી છે. આ સગીરા નવરાત્રિમાં ગુમ થઇ ગઇ હતી. સગીરાએ પિતાને ફોન કરતા અમદાવાદ પોલીસ સફાળી જાગી છે. આશ્ચર્યની વાત એ છે કે સગીરાની ઉંમર ચાર માસમાં ચાર વર્ષ વધી ગઇ છે. સગીરાની ઉંમર અંગે કોઇપણ જાતની તપાસ કર્યા વગર જ પોલીસે તેને જેલમાં બંધ કરી દીધી. આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી ઓકટોબર માસમાં ગુમ થઇ હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, વી.આર.ચૌધરીના જણાવ્યા મુજબ ગુમ થયેલી સગીરાનું સુરતના એક યુવકે અપહરણ કર્યું હતું. ત્યારબાદ કોઇપણ રીતે લગ્ન કરીને સુરતના કતારગામ…

Read More
Primary School

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા પરિપત્ર પ્રમાણે હવે જો કોઈ વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. એટલે કે ફક્ત હાજરીપત્રકમાંથી જ વિદ્યાર્થીનું નામ કમી થઈ જશે. પરિપત્ર પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી 21 દિવસ સુધી સતત ગેજહાજર રહેશે તો તેણે CRC (ક્લસ્ટર રિસોર્સ કોર્ડિનેટર)નો સંપર્ક કરવો પડશે. એટલું જ નહીં વિદ્યાર્થીના માતા-પિતાએ પણ સીઆરસીનો સંપર્ક કરવો પડશે. જો કોઈ 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી સતત સાત દિવસ સુધી ગેરહાજર રહે છે તો વર્ગ શિક્ષકે…

Read More
SC

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે કોર્ટ કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને નિર્દેશ આપે કે તેઓ તપાસમાં સહયોગ કરે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં મંગળવાર એટલે કે આજે સુનવણી કરશે. આપને જણાવી દઇએ કે રવિવારના રોજ સીબીઆઈના અધિકારી શારદા ચિટફંડ કૌભાંડથી સંબંધિત પૂછપરચ્છ માટે રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા પરંતુ તેમને ઘરમાં ઘૂસવા દીધા નહોતા અને મારામારી બાદ સીબીઆઈ ઓફિસરોને થોડાંક સમય માટે કસ્ટડીમાં લેવાયા. સીબીઆઈ એ પોતાની અરજીમાં આરોપ મૂકયો છે કે રાજીવ કુમારે અત્યાર સુધી તપાસમાં કોઇ સહયોગ કર્યો નથી. સાથો સાથ રાજીવ પર એ પણ આરોપ છે કે તેમણે કૌભાંડ…

Read More
mamta ji 1

કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસેલા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ સમજુતિ નહી કરીશ. તેમણે કહ્યું, જ્યારે લોકો રસ્તાઓ પર TMCના નેતાઓને અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યાં હતા ત્યારે હું રસ્તા પર નહોતી આવી. પરંતુ આ વખતે કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારનું અપમાન થયું તેથી અમને ગુસ્સો આવ્યો અમે તેના વિરોધમાં ધરણાં પર બેસ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે કોલકત્તા પોલીસ કમિશ્નરનું અપમાન સહન નહી કરી શકીશું કારણ કે, તેઓ રાજ્યના મુખ્યપોલીસ અધિકારી છે અને જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી સમજુતી નહી કરીશું. ઉલ્લેખનિય છે કે, મમતા કાલથી જ…

Read More
ramesh bhatkar

હિંદી અને મરાઠી ફિલ્મ્સના જાણીતા એક્ટર રમેશ ભાટકરનું નિધન થયું છે. તેઓ હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘એક્સિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર’માં પણ જોવા મળ્યા હતા. રમેશ ભાટકર લાંબા સમયથી કેન્સરનો સામનો કરી રહ્યાં હતાં. રમેશ ભાટકરે હિંદીથી વધુ મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. મોટાભાગે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળતાં હતાં. દુ:ખની વાત એ છે કે, આજે ‘કેન્સર ડે’ પર તેનું કેન્સરથી નિધન થયું છે. મુંબઇની એલિઝાબેથ હોસ્પિટલમાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મરાઠી ફિલ્મ્સ ઉપરાંત રમેશ ભાટકરે હિંદી ટીવી સીરિયલ દામિની, કમાન્ડર અને હેલો ઇન્સ્પેક્ટરમાં પણ કામ કર્યું હતું.

Read More
mamta ji

સીબીઆઈ વિવાદ મામલે ધરણા કરી રહેવા મમતા બેનર્જીએ આઠ ફેબ્રુઆરી સુધી ધરણા શરૂ રાખવાની જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરી બાદ ધરણા શરૂ રાખવામાં આવશે પરંતુ માઈકનો ઉપયોગ કરવામાં નહીં આવે. કેમ કે, પશ્વિમ બંગાળમાં આઠમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. મમતાએ સંબોધન દરમિયાન જણાવ્યું કે, ભાજપે લોકતંત્રને બદનામ કરવાનું ષડ્યંત્ર રચ્યું. વિપક્ષ ભાજપનો વિરોધ કશે તો તેની વિરૂદ્ધ સીબીઆઈ એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાજની સામે ટીએમસી ઝુકવાની નથી. સરકારની તમામ કામ ધરણા સ્થળેથી જ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મમતા બેનર્જીન આરોપ છે કે, પીએમ મોદી અને અમિત શાહ બંને મળીને પશ્ચિમ બંગાળમાં તખ્તાપલટનો પ્રયાસ કરી રહ્યા છે.…

Read More
20190204 172650 1

સ્કુલ વાન અને બસમાં બાળકોને જાનવરની જેમ ભરવામાં આવે છે અને ગણી વખત વાન ચાલકોને એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ બેફામ રસ્તા પર વાન ચલાવતા હોય છે. સુરતના અડાજણમાં પણ આજ રોજ આવી એક ઘટના બનવા પામી હતી, જેમ વાન ચાલકની બેદરકારીથી બાળક ઈજાગ્રસ્ત થયો હતો. જો કે બાળકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારમાં મારુતી કોમ્પ્વલેક્ષમાં વાન ચાલકે બાળકને પાર્કિગમાં ઉતાર્યા બાદ બેફામ રીતે વળાંક લેતા બાળક વાન નીચે કચડાઈ ગયું હતું. તે છતા પણ વાન ચલકે પોતાની વાન ઉભી ન રાખી અને બંને ટાયર બાળક પરથી…

Read More
delhi poll

દિલ્હીમાં દિવસેને દિવસે પ્રદુષણનું પ્રમાણ સખત વધતું જાય છે. વાતાવરણમાં ગ્લોબલ વોર્મિગની અસરની સાથે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. દિલ્હીમાં વધી રહેલા ઔદ્યોગીકીકરણને કારણે હવે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બનતું જાય છે. થોડા સમયમાં દિલ્હીની હાલત પણ બેંગકોકો જેવી થાય તો તેમાં પણ કંઈ ખોટું નથી. એક ન્યુઝ પેપરના અહેવાલ પ્રમાણે બેંગકોકમાં પ્રદુષિત હવાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવામાં આવ્યું છે કે આ હવા ફેફસામાં જવાથી લોકોના છીંક અને ઉધરસમાં પણ લોહીનું પ્રમાણ વર્તાઈ રહ્યું છે. દિલ્હીમાં પણ આવી હવાનું પ્રમાણ વધતું જાય છે. ફક્ત દિલ્હી અને બેંગકોક નહીં પણ સમગ્ર દુનિયા માટે આ…

Read More