ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા લવ જેહાદ સહીત કુલ 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. જે વિધેયકોને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ બાબત સુધારા વિધેયક, ગુજરાત પંચાયત સુધારા બિલ, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન સુધારા વિધેયક એટલે કે લવ જેહાદ બાબતનું બિલ, ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક, ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીશમેંટસ વિધેયક અને ફોજદારી કાર્યરીતી વિધેયકનો…
Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકોરમાયકોસિસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મ્યુકરમાયકોસિસથી 70 લોકોના મોત થયા છે. બ્લેક ફંગસથી થતી આ બીમારીમાં હવે વ્હાઈટ ફંગસનું જોખમ વધ્યું છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ આ રોગ માટે વપરાતા ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. ઈન્જેક્શન મેળવવા દર્દીના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ઈન્જેક્શન નથી તેવા બોર્ડ લટકી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના રસીકરણ પણ સાવ ધીમુ થઈ ગયું છે. સરકાર પાસે રસીનો પર્યાપ્ત જથ્થો નથી. અને ટેસ્ટિંગ ડોમ પણ બંધ હાલતમાં છે. તેથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકો પણ હાલાકીમાં…
હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. સરકાર લોકોને કહી કહીને થાકી ગઈ છે કે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, ભીડ એકઠી ન કરો. આ એવી બાબત છે જે તમને કોરોનાથી ઘણા બધા અંશે બચાવી લેશે. આ બાબતને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમય સમયે પોતાની ગાઈડલાઈનમાં નિયમોમાં વતાઓછા પ્રમાણમાં પરિસ્થિતીને જોતા ફેરફાર કરતા રહ્યા છે. જનતાના હિત માટે સરકાર જ્યારે કાયદા અને નિયમો બનાવતી હોય છે. ત્યારે જનતા તો આ નિયમોનું પાલન કરતી આવે છે. પણ નેતાઓ જાણે કે નાક કાન વગરના થઈ ગયા છે. તેઓ આટલી મહામારી વકરેલી છે, છતાં ઉજવણી અને ઉદ્ધાટનના તાયફામાં બહાર…
રોકાણ કરવાનો અર્થ ફક્ત મૂડીને સુરક્ષિત કરી નથી પરંતુ તેને વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. દર મહિને 500 અથવા 1000 રૂપિયાનું રોકાણ કરીને તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાય છે.શેરબજારમાં જુદી જુદી કંપનીઓના સ્ટોકમાં દર મહિને 1000 રૂપિયાના રોકાણથી તમે તમારા પોર્ટફોલિયોને સારો બનાવી શકો છો. જો કે, તમે આટલી ઓછી રકમ માટે મોટી કંપનીઓના મોંઘા શેરમાં રોકાણ કરી શકશો નહીં, પરંતુ ઘણી એવી કંપનીઓ છે જે સારો ગ્રોથ કરી રહી છે અને તેમના શેરની કિંમત 1000 રૂપિયાથી ઓછી છે. આવી કંપનીઓના શેર ખરીદીને તમે સારો નફો મેળવી શકો છો. પરંતુ કોઈપણ કંપનીનો સ્ટોક ખરીદતા પહેલા, પૂરતુ રિસર્ચ કરો અને…
રેસિયા ઝીલ (Lake Resia) ટાયરોલ (Tyrol) ની અલ્પાઇન ક્ષેત્રમાં આવેલું છે. તે સૌથી શ્રેષ્ઠ મશહુર આર્ટિફિશિયલ તળાવમાંનું એક છે. તેનું પાણી બર્ફિલું છે અને તેની વચ્ચે 14 શતાબ્દીના એક ચર્ચની મીનાર પણ આવેલી છે. ટાયરોલ (Tyrol) નામની જગ્યા ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડમાં છે. રિપોર્ટ મુજબ જ્યારે અનેક વર્ષો પછી તેની મરામત કરવાની શરૂઆત કરવામાં આવી તો તેનું પાણી અસ્થાયી સ્વરૂપે સુકાઈ ગયું. ત્યારે લોકોને પાણીની અંતર ડુબી ગયેલા ગામના ફોટા જોવા મળ્યા. લેક રેસિયાને જર્મનમાં રેસચેન્સી નામથી પણ ઓળખવામાં આવે છે. 1950 માં તળાવમાં સમાયા પહેલા અહીં ક્યુરોન નામનું ગામ હતું. જેમાં હજારો લોકો રહેતા હતા. એક હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવવા માટે…
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ લોકો સાથે ભૂવા અને અસામાજીક તત્વો તંત્ર મંત્રના નામે છેતરપીંડી આચરે છે. આવી જ એક ઘટનાનો વિડીયો પાલનપુર થી સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે મામલે ત્રણ લોકો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મિડિયામાં એક વ્યક્તિ તંત્ર મંત્રના જાપ કરી કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરતો હોય તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે વિડીયો વાયરલ થતાં જ તંત્ર એકશનમાં આવ્યું. પોલીસે વિડીયો મામલે તપાસ હાથધરી તો જાણવા મળ્યું કે વિડીયો પાલનપુર શહેરના રામજી નગર લક્ષ્મીપુરા નું હોવાનું સામે આવ્યું. જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે તપાસ…
આકાશમાંથી પડેલા પથ્થર જેવા ટુકડાઓ ઉલ્કાપિંડ હતા. તે જ સમયે, આ પત્થરો જે લંડનમાં પડ્યાં તેનું નામ વિંચકોમ્બે ઉલ્કાપિંડ છે. તે ફેબ્રુઆરી મહિનામાં પડ્યા હતા અને હવે તે સંગ્રહાલય માં રાખવામાં આવશે.તમે આજકાલ સોશિયલ મીડિયા અથવા મીડિયા અહેવાલોમાં વાંચ્યું હશે કે એક ઘેટાં ચરાવતા માણસને ખેતરમાં એક વિશિષ્ટ પથ્થર મળ્યો, જેની કિંમત કરોડો રૂપિયા છે. આ પહેલીવાર નથી, કારણ કે આવા અહેવાલો પહેલા પણ આવ્યા છે જેમાં એવું કહેવામાં આવે છે કે ખેડૂત ખેતરમાં મળેલા પત્થરોથી સમૃદ્ધ થી ગયો. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે પત્થરોમાં ખાસ શું છે અને તે આટલા મોંઘા કેમ છે. ફેબ્રુઆરીમાં, લંડનના એક ગામમાં…
ભલે કોફી,કોક, શોટ્સ ઘણું પીણાના ટ્રેન્ડ લિસ્ટમાં ઉભેરાતું જતું પરંતુ ચાનું પ્રથમ સ્થાન હજુ સુધી કોઇ જુટવી શક્યું નથી. જેની સવાર જ ‘કડક મીઠી અને કટીંગ’થી પડતી હોય તેવા અમદાવાદી રસીયાઓ રોજના ચા પાછળ સરેરાશ 75 થી 95 રૂપિયાનો ખર્ચ કરે છે. ટપરી પર કટિંગમાંથી પણ અડધી કરેલી ચાને આગ્રહ કરીને મિત્રને પીવડાવવાનો ટ્રેન્ડ હજુ આજે પણ એકદમ ફ્રેશ છે. વ્હાઇટ ટી, યેલો ટી, બટર્ડ યાક્સ મિલ્ક ટી, બબલ ટી અને બ્લુમિંગ ફ્લેવર્ડ ટીની બોલબાલા વધશે .યંગસ્ટર્સમાં ઇલાયચી, ચોકલેટી, જીંજર, પાન, રોઝ અને રેગ્યુલર મસાલા ફ્લેવર ટી ઓલ ટાઇમ ફેવરીટ છે જ્યારે ગુલાબી કશ્મીરી ચા, કુલ્લડ ચા અને તંદુરી ચાનો…
વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે રસીકરણ અભિયાનને વેગ નહીં અપાય અને કોરોના સંબંધી સાવચેતીઓના પાલનમાં લોકો બેદરકાર રહેશે તો 6-8 મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આઇઆઇટી, હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરે કહ્યું કે રસીકરણ અભિયાનને વેગ આપવા ઉપરાંત કોરોના અટકાવવાના નિયમો (પ્રોટોકોલ)નું પણ સંપૂર્ણપણે પાલન કરવું પડશે. તો જ કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાશે. પ્રો. વિદ્યાસાગર સૂત્ર મોડલ દ્વારા સંક્રમણના ઉતાર-ચઢાવનું અનુમાન કરનારા વિજ્ઞાનીઓમાં સામેલ છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવનના જણાવ્યા મુજબ, વાઇરસ રૂપ બદલશે તેમ-તેમ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધશે. એઇમ્સના ચેરમેન ડૉ. નવનીત વિગે પણ કહ્યું કે કોરોના સંકટ એક ગતિશીલ સ્થિતિ છે…
એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર જોઈને થતો નથી. જ્યારે કોઈ ગમવા લાગે છે ત્યારે ફક્ત તે જ વ્યક્તિના વિચારો આવે છે. આવું જ કઈંક આ કિસ્સામાં જોવા મળી રહ્યું છે, જેને વાંચ્યા પછી તમે કહેશો કે પ્રેમમાં ઉંમર માત્ર એક નંબર છે બીજું કઈ નથી.આ બંને વચ્ચે નીકટતા છ વર્ષ પહેલા 2015માં આવી, જ્યારે 18 વર્ષની ઉંમરમાં છોકરાને 71 વર્ષની વૃદ્ધ મહિલા સાથે પ્રેમ થયો.18 વર્ષનો ગેરી હાર્ડવિક (Gary Hardwick)તેની કાકી લિઝાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો, ત્યારે તેણે પોતાની ફ્યુચર વાઈફ અલ્મેડાને જોઈ અને તેને પ્રેમ થઈ ગયો. તે સમયે અલ્મેડાની ઉંમર 71 વર્ષ હતી અને તે તેના પુત્ર…