IPL-11 સિઝનની 44મી મેચમાં શનિવારે રનનો વરસાદ જોવા મળ્યો હતો. KKRએ ઈન્દોરમાં તોફાની બેટિંગ કરતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. KKR શનિવારે પહેલા બેટીંગ મળવાનો ફાયદો ઉઠાવ્યો અને 20 ઓવરમાં 6 વિકેટે 245 રન બનાવી દીધા. ખાસ વાત એ છેકે તેમાં એક પણ ખેલાડીએ સદી બનાવી ન હતી. KKRએ IPLનો સૌથી મોટો રન 245 બનાવ્યો. KKR તરફથી સુનિલ નરૈને 75 રન 36 બોલમાં અને કેપ્ટન દિનેશ કાર્તિકે 50 રન 23 બોલમાં બનાવ્યા હતા. ઓવરઓલ ટી-20ની વાત કરીએ તો, કેકેઆરએ કોઈપણ સેન્ચુરી વિના જ સંયુક્ત રૂપથી બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ઈનિંગમાં સદી વિના સૌથી મોટો સ્કોર…
Author: Dipal
અમેરિકામાં સૌપ્રથમવાર જુલિયા વોર્ડ હોવે દ્વારા મધર્સ ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. હોવે દ્વારા 1870માં રચિત ‘મધર્સ ડે પ્રોક્લેમેશન’માં અમેરિકન સિવિલ વોરમાં મારકાટ સંબંધિત શાંતિવાદી પ્રતિક્રિયા લખવામાં આવી છે. આ પ્રોક્લેમેશન હોવેનો નારીવાદી વિશ્વાસ હતો, જે અંતર્ગત મહિલાઓ અથવા માતાઓને રાજનૈતિક સ્તર પર પોતાના સમાજનો વિકાસ કરવાનો અને તેને આકાર આપવાની છૂટ મળે. 1912માં એન્ના જાર્વિસે ‘સેકન્ડ સન્ડે ઈન મે’માં મધર્સ ડેને ટ્રેડમાર્ક બનાવ્યો અને મધર્સ ડે ઈન્ટરનેશનલ એસોસિએશનની સ્થાપના કરી. અમેરિકાના પશ્ચિમ વર્જિનિયા રાજ્યના ગ્રાફ્ટન શહેરમાં મધર્સ ડેની સૌપ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. મધર્સ ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ જીવનમાં માતાના વિશેષ મહત્ત્વ અને તેમના સંબંધને દર્શાવીને તેમને સન્માન…
ભોજનમાં માંસાહાર ઓછો કરવાથી દુનિયામાં દર વર્ષે આશરે ૬૬ લાખ ૭૩ હજાર કરોડ રૂપિયાની બચત કરી શકાય છે. ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનમાં ઘટાડો થતાં ૩૩ લાખ ૩૬ હજાર કરોડ રૂપિયાની બચત થશે. આ પહેલથી સૌથી વધારે ફાયદો વિકાસશીલ દેશને થવાની વાત કહેવામાં આવી છે. ફળ અને શાકભાજીનું ઉત્પાદન વધતાં ભારત સહિત દક્ષિણ એશિયાઈ દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે. વૈજ્ઞાાનિક રિપોર્ટના આધાર પર અઠવાડિયામાં એક દિવસ શાકાહારને અપનાવીને ધરતીને બચાવવાની દિશામાં એક મોટું પગલું ભરી શકાય છે. માંસાહાર ઓછો થતાં ગ્લોબલ વોર્મિંગમાં ઘડાટો થશે અને ધરતીનાં વાતાવરણને ઠંડું કરવામાં મદદ મળી રહેશે. અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સની શોધ અનુસાર, જો સમગ્ર દુનિયામાં…
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય. વૃષભ : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય. મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય. કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે. સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે. કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે. તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે. વૃશ્ચિક : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે…
દેશની નજર હાલમાં કર્ણાટક ચૂંટંણી પર છે અને અહીંની હાર જીત આગામી લોકસભા ચૂંટણી પર પ્રભાવ પાડશે. આ ચૂંટણી સંગ્રામ વચ્ચે ભાજપ માટે મોટા સમાચાર છે. કર્ણાટક ચૂંટણીના પરિણામો પહેલા યુપીમાં ભાજપે 37 માંથી 36 સીટો પર પોતાનો કબ્જો મેળવી લીધો છે. આ સીટો યુપીમાં સહકારી બેંકોની પ્રબંધન સમિતિની છે. જ્યાં સપાનું એકહથ્થુ શાસન ચાલી રહ્યુ છે. વાસ્તવમાં શુક્રવારે યુપીમાં સહકારી બેંકોની પ્રબંધન સમિતિની ચૂંટણી હતી. જેના પર ભાજપે એકતરફી જીત મેળવી છે. ભાજપે યુપીના 37 જિલ્લામાં 36 જિલ્લાની સહકારી બેંકોની પ્રબંધ સમિતિના અદ્યક્ષ પદ પર જીત મેળવી છે. જ્યારે આજમગઢમાં ચૂંટણી સ્થગિત થઈ ગઈ હતી જેના કારણે ત્યાં કમળ…
મોદી સરકાર માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ માટે બનેલા કાયદામાં બદલાવ લાવવાની તૈયારી કરી રહી છે. સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલ ભલામણો મુજબ પોતાના વૃદ્ધ મા-બાપ સાથે દુર્વ્યવહાર કે ઘરથી બહાર કાઢવા પર છ મહિનાની સજા આપવામાં આવશે. આ પહેલા ત્રણ મહિનાની સજાનું પ્રાવધાન હતુ. પરંતુ હવે આ સજા બદલવામાં આવશે. કલ્યાણ કાનૂન, 2007 ની સમીક્ષા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે મંત્રાલયે પોતાની ભલામણોમાં બાળકોની પરિભાષા બદલવાની વાત કરી છે. ભલામણો મુજબ બાળકોની પરિભાષામાં દત્તક કે સાવકા બાળકો, જમાઈ અને વહુઓ, પૌત્ર-પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓ અને…
કેન્સર કરતાં પણ વધારે પીડાકારણ ગણાતા એચઆઈવી એઈડ્સની અવગણના લોકોને ભારે પડે છે. અનેક લોકો હાલમાં એચઆઈવી પોઝિટીવનો ભોગ બન્યાં છે. ત્યારે ગુજરાતના એક રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સૌથી ગંભીર સમસ્યા એચ.આઈ.વી.ની છે. આ અંગે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2015માં થયેલા એક સર્વે મુજબ એચ.આઇ.વી. ધરાવતા 1.66 લાખ દર્દીઓ છે અને દર વર્ષે નવા 10,589 દર્દી ઉમેરાતા જાય છે. ગુજરાતમાં એચ.આઇ.વી. અને એઇડ્સના પ્રસરતા વ્યાપ સામે એક પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં દર વર્ષે HIVના 75 હજારથી વધુ દર્દીઓ અને રાજ્યમાં દર વર્ષે HIVના 10 હજારથી વધુ નવા દર્દીઓ…
મહિલા અને પુરુષો તો તુલના થતી જ રહે છે, સાથે જ માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે પણ સરખામણી થતી રહે છે. લોકો કહે છે કે, નોનવેજ ખાનારા વધુ શક્તિશાળી હોય છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે, માંસ-મચ્છી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ શાકાહારી અને માંસાહારીમાંથી સેક્સ કોણ વધુ કરે છે, તે પણ એક સવાલ રહ્યો છે, જેનો જવાબ આજે અમે તમને આપવા જઈ રહ્યા છે. એક મીટ કંપની દ્વારા માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે કરાવવામાં આવેલા સરવેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સરવેમાં જાણવા મળ્યું હતું કે, દિવસમાં એક વાર માંસ ખાનારા 42% લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સેક્સ…
ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની Xiaomiએ નવો સ્માર્ટફોન Redmi S2 લોન્ચ કરી દીધો છે. જોવામાં આ ફોન Mi 6X જેવો જ લાગી રહ્યો છે. જેને હાલમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં પણ જલદી લોન્ચ થશે આ સ્માર્ટફોન. Redmi S2 બેઝલ લેસ સ્માર્ટફોન છે અને 18:9 એસ્પેક્ટ રેશિયો ધરાવે છે. 5.99 ઈંચની એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4GB રેમ અને 64GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે. કિંમતની વાત કરીએતો Redmi S2ની શરૂઆતની કિંમત CNY 999 (અંદાજીત 10,559 રૂપિયા) જેમાં 3 GB રેમ સાથે 32…
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે 224 માંથી 222 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયુ છે. 2 બેઠકો પર ચૂંટણી રદ કરવામાં આવી છે. જેમાં 10,000 વોટર્સ કાર્ડ મળવાને કારણે રાજરાજેશ્વરી નગરની બેઠક પર મતદાન સ્થગિત કરવામાં આવ્યુ છે. પરિણામ 15 મે ના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં પહેલી વખત મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવનાર છે. જે દ્વારા મતદારોને બૂથ પર કેટલી લાઈન છે તેની જાણકારી મળી રહેશે. કર્ણાટકમાં કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. મતદાન શરુ થતા જ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિપુરપ્પાએ શિમોગના શિકારીપુરમાંથી મતદાન કર્યુ. તેમણે લોકોને સંબોધતા કહ્યુ કે લોકો સિદ્ધારમૈયા સરકારથી કંટાળી…