ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીઓ પછી, મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ હવે વધી છે.કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી મેઘાલયમાં છે, જે તેમના પક્ષના કાર્યકરોનો ઉત્સાહ વધારી રહ્યા છે.કોંગ્રેસ અધ્યક્ષ બે દિવસના ચૂંટણી પ્રવાસ માટે મેઘાલય પહોંચ્યા છે.27 ફેબ્રુઆરીના રોજ 60 બેઠકો માટે મતદાન યોજવામાં આવશે. મેઘાલયમાં કોંગ્રેસની મુખ્ય ટક્કર ભાજપ સાથે છે.તેથી રાહુલે ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે ભાજપ (મેઘાલય) અહીં આવ્યો છે અને કરોડો રૂપિયા લઈને ચર્ચમાં પહોંચ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિચારે છે કે જે રીતે તે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને ખરીદશે અને સરકાર રચશે, તેઓ પૈસા લાવશે અને ચર્ચ, ભગવાન અને ધર્મ પણ…
Author: Dipal
https://youtu.be/3cRd4GD9xIg વલસાડ નગરપાલિકા ની ચૂંટણી માં હાર અને જીત ના સિક્કા વચ્ચે 11વોર્ડ માં મતદાતાઓ એ તેમના ઉમેદવારો ચૂંટાઈ લાવ્યા છે,ત્યારે લાગેછે આ ચૂંટણી ને અમુક અસામાજિક તત્વો ને પોતાની હાર સહન ન થઈ હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે કારણ કે ગતરોજ વલસાડ ના ધોભીતળાવ માં ગત મોડી રાત્રી સમયે પોલીસ ચોકી ના માત્ર 10ફૂટ દૂર કાચા મકાન માં પાર્ક કરેલ એક ઓટો રીક્ષા નં GJ-15-AV-0293 ને કોઈ અસામાજીક તત્વો એ ચૂંટણી નો કટાક્ષ કાઢી પાર્ક કરેલ ઓટો રીક્ષા પર પેટ્રોલ છાંટી આગને હવાલે કરી નાખી હતી જે ઓટો રીક્ષા ની બાજુ માં બરોબર પાર્ક કરેલ એક મોપેડ સ્કૂટર…
અમદાવાદ,એક તરફ રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે ખાનગી કરણ વધી રહ્યુ છે..જેના પગલે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે બીજી તરફ સરકારી ગ્રાન્ટ મેળવતી કોલેજોની લાલીયાવાડી સામે આવી છે.જેના પગલે નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશન દ્વારા રાજ્યની ત્રણ કોલેજોની મંજુરી રદ કરી છે. એક તરફ રાજ્યમાં શિક્ષકોની અછત છે. ત્યારે બીજી તરફ બી.એડ કોલેજોની લાલીયાવાડી સામે આવી છે.હાલમાં જ મળેલી NCTE (નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશનની બેઠકમાં રાજ્યની ત્રણ બી.એડ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે.જેમાં પેટલાદની એસ.આઇ પટેલ બી.એડ કોલેજ, પાટણની જી.એચ.પટેલ બી.એડ કોલેજ અને ભાવનગગરની જી.એચ સંઘવી બી.એડ કોલેજનો સમાવેશ થાય છે. અગાઉ આ કોલેજ વિરૂધ્ધ અરજી કરવામાં…
ગુજરાતના લોકોની આશા અને અપેક્ષાઓ વચ્ચે વિધાનસભામાં બજેટ રજુ થઈ ગયું છે, ત્યારે ગુજરાત સરકારના નવા બજેટ 2017-18 પત્રકારો માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે. નિતીન પટેલે વિધાનસભામાં નવા બજેટની જાહેરાત કરતા જણાવ્યું છે કે અત્યાર સુધી માન્યતાપાત્ર પત્રકારો એસટી બસમાં નિશુલ્ક પ્રવાસ કરી શકતા હતા, આવા પત્રકારોને લાભ થાય તે હેતુથી હવે તેમને એસટી બસની સાથે અમદાવાદથી રાજકોટ અને અમદાવાદથી બરોડા વચ્ચે ચાલતી તેમજ ભવિષ્યમાં શરૂ થનારી વોલ્વો બસમાં નિશુલ્ક પ્રવાસ કરવાની ટિકિટ આપવામાં આવી છે. આ સાથે બજેટ પ્રમાણે માહિતી વિભાગને આધુનિક બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીવાળા કેમેરાઓ આપવામાં આવશે. નવી સરકારના પહેલા બજેટમાં પત્રકાર માટે આ ખૂબ આનંદના…
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધીકારીઓ માટે સારા સમાચાર છે, હવે મ્યુનિ. કર્મીઓએ કોઇ પણ પ્રકારના કેબલ ફોલ્ટ શોધવા માટે ખાડા ખોદીને લાંબો સમય વેડફી.ફોલ્ટ દુર કરવાની જગ્યાએ બહુ ઓછો સમય અને ખર્ચમાં ફોલ્ટ શોધી શકાય તે માટે વિશ્વકર્મા એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ એક એવુ અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ લોકેટર બનાવ્યુ છે. માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટમાં ભૂગર્ભ પાવર કેબલ માટે ફોલ્ટ સ્થાન મોડલની દરખાસ્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કિલોમીટર દુર બેઝ સ્ટેશનથી ભૂગર્ભ કેબલ ખામીના અંતર નક્કી કરવા માટે છે. આ પ્રોજેક્ટ ‘મુરે લૂપ ટેસ્ટ’ ની સરળ પ્રિન્સીપાલનો ઉપયોગ કરે છે. જયારે કોઈ ક્ષતિ જેવી અર્થ ફોલ્ટ થાય છે ત્યારે પુલ કેબલમાં ફોલ્ટ…
અમદાવાદ, પાસ કન્વિનર હાર્દિક પટેલને રાજદ્રોહના ગુનામાં મુશ્કેલીઓ વધી શકે છે. હાર્દિક પટેલે કરેલી ડીસ્ચાર્જ અરજી આજે કોર્ટે ફગાવી દિધી છે અને આગામી 21મી માર્ચના રોજ તેની પર ચાર્જ ફ્રેમ કરાશે. પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો નોધવામાં આવ્યો હતો.જેમાં હાર્દિક પટેલના વકિલે સેશસન્સ કોર્ટમાં રાજદ્રોહના ગુના સામે ડીસચાર્જ અરજી કરવામાં આવી હતી અને અરજીમાં પ્રથમ દ્રષ્ટીએ કોઇ ગુનો બનતો નથી અને હાર્દિક પટેલ સામે કોઇ પૂરાવા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે સામે પક્ષે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના ગુના અંગેના તમામ પૂરાવા રજૂ કર્યા હતા.જેના પગલે કોર્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો…
ટેકનોલોજીએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. ડગલેને પગલે અાપણે નવા સોપાનો સર કરી રહ્યા છીએ. ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા, ઈન્ટરનેટ અને મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને Kantar IMRB ‘ઈન્ટરનેટ ઇન ઇન્ડિયા 2017’ નામે રિપોર્ટ બહાર પાડ્યો છે.આ અહેવાલ મુજબ, ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા જૂન 2018 સુધી 50 મિલિયનની સંખ્યાને પાર કરશે. આ અહેવાલમાં નોંધનીય બાબત એ છે કે 30 ટકા (14.3 મિલિયન) મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે ડિસેમ્બર 2017 માં ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 481 મિલિયન હતી. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્માર્ટફોન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી રહી છે. અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 87 ટકા ઇન્ટરનેટનો સ્માર્ટફોન પર ઉપયોગ કરે છે,…
અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષાની અહેસાન મંદ છે, વાંચીને નવાઇ લાગે છે ને? પરંતુ આ નરી વાસ્તિવકા છે. કારણ કે આ વર્ષે ઓક્સફોર્ડની અંગ્રેજી ડિક્શનેરીમાં 500 નવા શબ્દો ઉમેરાયા એમાંથી 240 શબ્દો ભારતીય છે અને મોટા ભાગના ગુજરાતી છે. આશ્ચર્ય લાગે છે ને પણ વાસ્તવિક્તા એ છે કે અંગ્રેજીઓને પણ આપણી ગુજરાતી ભાષાના શબ્દોનું અંગ્રેજી કરતા નથી આવડતુ પરંતુ ગુજરાતી શબ્દોને સ્વીકાર્યા વગર એમને છૂટકો નથી સાદા શબ્દોમાં કહીએ તો ધોળીયાઓને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ધોળા દહાડે તારા દેખાઇ ગયા છે. એમાંના કેટલાંક શબ્દો હું અહીં મુકુ છું જેમકે પાપડ, ભેળપૂરી, બાસમતિ, ઘી, ચટણી, મંત્ર, ર્શાલ, શરબત, ખાટ, જેવા ઘણાંં શબ્દો છે…
વલસાડ ના એકજ ઝવેરી પેઢીના બે અલગ અલગ શોરૂમ પર આઈ.ટી ની ટીમ વહેલી ત્રાટકતા વલસાડ જીલ્લાના ઝવેરી વર્તુળમાં સોંપો પડી ગયો છે. https://youtu.be/S8-3T-rDq0w
આજે શ્રીલંકામાં એક બસ વિસ્ફોટ થયો છે, જેમાં 12 આર્મી કર્મચારીઓ સહિત 19ના મોત થયા હતા.આર્મીના પ્રવક્તા સુમિત અતાપત્તુએ જણાવ્યું હતું કે બસમાં એક વિસ્ફોટ થયો છે જેમાં ઘણા મુસાફરો મૃત્યુ પામ્યા છે.આ કિસ્સામાં, તપાસ ચાલી રહી છે.એટપટ્ટુએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં સાત નાગરિકો અને પાંચ હવાઈ દળના જવાનો અને સાત નાગરિકો મૃત્યુ પામ્યા હતા.બસ જફ્ના ડિઠાલાવા જઈ રહી હતી ત્યારે અેકાએક વિસ્ફોટ થયો હતો.