સ્માર્ટ ફોન આવ્યા પછી દરેકને જુદું વળગણ લાગ્યું છે. લોકોને હવે પોતાના ફોટા ખેંચવાનું, અલગ અલગ સ્થળે જઈ સેલ્ફી ખેંચવાનું વળગણ લાગેલું છે. આ વળગણ માત્ર જવાનીયાઓને છે એવું નથી, આ વળગણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લાગેલું છે. સેલ્ફી ખેંચવી કોઈ ખોટું નથી પણ છાશવારે સેલ્ફી ખેચવાથી ઘણા નુકસાન થાય છે. પરંતુ નુકસાન તો એ છે કે સેલ્ફી ખેંચતી વખતે તમને કોઈ સ્થળ અને જગ્યાનું ધ્યાન નથી હોતુ અને સેલ્ફીમાં સારો એંગલ આવે તો એ ફોટા ફેસબુક પર કે સોશિયલ મીડિયામાં મુકીએ છીએ, પરંતુ આ સેલ્ફી લેતાં આપણે જે વાંકાચૂકા અને હાથને અલગ અલગ પોઝીશન આપીએ છીએ જેના કારણે…
Author: Dipal
કચ્છનાં અબડાસામાં પાંચ વર્ષ મહેનત કરી સીટને કોંગ્રેસ માટે ગઢ બનાવવાની તનતોડ મહેનત કરનાર શક્તિસિંહને હવે ભાવનગર ખસેડવા પાછળ કોંગ્રેસનો કારસો છે. કોંગ્રેસના એક દક્ષીણ ગુજરાતના નેતાની નજર હવે અબડાસાની બેઠક પર છે. અબડાસાની બેઠક પરથી કોંગ્રેસ જીતે એવા એંધાણ લાગતાં હવે દક્ષીણ ગુજરાતના કોંગ્રેસ નેતાઓએ પોતાનું એડી ચોટીનું જોર લગાવવાનું શરુ કર્યું છે. શક્તિ સિહનું આમતો હોમ ગ્રાઉન્ડ ભાવનગરજ છે. પરંતુ લોકસભાની ચૂટણીમાં એકવાર લડ્યા પછી શક્તિસિંહ સળંગ ભાવનગરમાં હાર્યા હતા પરંતુ એમની હર માત્ર દસહજારની જ હતી એની સામે ૨૦૦૭નિ ચૂટણીમાં એક બ્રાહ્મણ અને દલિત ઉમેદવાર આવી જતાં શક્તિસીહ આ ૧૦ હજારનો માર્જીન કાપી ભાવનગરથી સીધા ગાંધીનગર પહોચી ગયા…
આવતી કાલે દેવઉઠી એકાદશી એટલેકે કારતક સુદ એકાદશીએ ભગવાન ચાર માસની લાંબી નિદ્રામાંથી જાગ્રત થાય છે અને ભગવાનને મૂળા, રિંગણ, ભાજીના ભોગ ધરાવાય છે તે સાથે જ તુલસી વિવાહ પણ કરવામાં આવે છે અને તે પછી જ લગ્નસરાનો પ્રારંભ થઈ જાય છે. સાથે સાથે દેવદિવાળીના પર્વની ઉજવણી પણ શરૂ થાય છે. તુલસી વિવાહમાં વિષ્ણુ ભગવાનના તુલસીજી સાથે વિવાહ કરવામાં આવે છે. કારતક સુદ નોમથી તુલસી વ્રત કરનાર બારસના દિવસે ઉપવાસ તોડે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ષોડશોપચાર પૂજાનું અનેરું મહત્વ છે. આ દિવસે તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર ચડાવવામાં આવે છે. સંસારના તમામ સારા કાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે.
રીના બ્રહ્મભટ્ટ લાગે છે કે, આ વખતે સાચે ન ભાજપ માટે આ ચૂંટણી એક અગ્નિ પરીક્ષા લઇ રહી છે. ભાજપ બાર સાંધેને તેર તૂટે તવા હાલ અત્યારે બીજેપીના થયા છે. લોક આંદોલનના નેતાઓ એ એક પછી એક કૉંગ્રેસના શરણે ગયા।. ત્યારથી શરુ થયેલ વિવાદ અટકવાનું નામ લેતો નથી. અને ઉલટાની આજે સ્થિતિ એ છે કે, મતોનું અને ઇવન પબ્લિકનું પણ બહુ જ ઝડપથી ધ્રુવીકરણ થઇ રહ્યું છે. લોકો ભાજપ, કોંગ્રેસ અને આ નેતાઓથી પણ છછેડાઈ ચુકya છે. હજુ ચૂંટણીઓ આવશે ત્યાં સુધી આમ કેટલા રંગ ઉમેરાશે। મતલબ સાફ છે કે, તોડ-જોડની આ રાજનીતિ કોઈનું પણ ભલું કરી શકે એમ નથી. ત્યારે બીજેપીની સમસ્યા એ…
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધીકરણ (યુઆઇડીએઆઇ) ટૂંક સમયમાં હવે આધાર નોમિનેશન અને અપડેશન ફોર્મને લઇ મોટો ફેરફાર કરવા જઇ રહ્યું છે. આધારમાં થનારા આ બદલાવ હેઠળ બેેન્કો, પોસ્ટ ઓફિસ અને સરકારી કાર્યાલયોના સત્તાવાર કર્મચારીઓને આ અરજી પર બાયોમેટ્રિક સાઇન કરવી પડશે, બાયોમેટ્રિક સાઇન હોવાથી સંબંધિત અધિકારી આધાર નોમિનેશન અને અપડેેશન ફોર્મની ચકાસણી કરી શકશે. આ અગાઉ યુુઆઇડીઆઇએ રાજ્યને ખાનગી એજન્સીઓ દ્વારા નોમિનેશનને સરકારી કે નગરપાલિકાના સંકુલમાં ખસેડવા જણાવ્યું હતું એટલું જ નહીં, યુઆઇડીઆઇએ જાહેર ક્ષેત્રની બેન્કોની સાથે-સાથે ખાનગી બેન્કોની ૧૦ શાખાઓમાંથી ઓછામાં ઓછી એક શાખામાં આધાર નોમિનેશન સેવા શરૂ કરવા જણાવ્યું હતું.
રીના બ્રહ્મભટ્ટ સોશિયલ મીડિયા એક તેવું પ્લેટફોર્મ છે કે જેમાં વિવાદ પેદા કરનારા લોકોને ખુબ જલ્દી પબ્લીસીટી મળે છે. અને પબ્લિક પણ હવે સમજી ગઈ છે કે, સોશિયલ મીડિયા એમના અવાજ રજુ કરવાનું પણ સાધન બની શકે. ભાજપ અને કોંગ્રેસને બંનેને સોશિયલ મીડિયાના આ રુખનો અનુભવ થઇ ચુક્યો છે. મોદીનો વિકાસ આજ મીડિયા પર ગાંડો થયો અને રાહુલ પણ આજ મીડિયાની દેન થી પપ્પુ બન્યા. જેમાં ખાસ તો ભાજપને કોંગ્રેસે ચલાવેલ “વિકાસ ગાંડા થયો” નું કેમ્પેન ભારે પરેશાન કરી ચુક્યું છે. અને જે વિકાસના નારા સાથે તેઓ દેશની અનેક ચુંટણીઓ જીત્યા એ જ વિકાસ આજે ઉપહાસને પાત્ર બન્યો છે. ૨૦૧૪…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સુપ્રીમ કોર્ટમાં આધાર મામલે મોટી લપડાક પડી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરતા ખુબ જ આકરી ટીપ્પણીઓ કરી. કોર્ટે કહ્યું કે ”સંસદ દ્વારા પસાર થયેલા કાયદાનો ભંગ કેવી રીતે કરી શકાય? મોબાઈલ ફોનને આધાર સાથે લિંક કરવા વિરુદ્ધ મમતા સરકારે સર્વોચ્ચ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની વિરુદ્ઘ યાચિકા પર સુપ્રીમ કોર્ટે સરકાર અને મોબાઇલ કંપનીઓને નોટિસ પણ પાઠવી છે. સરકારી યોજનાઓમાં આધારને અનિવાર્ય કરવા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ”જો રાજ્યના મુખ્યમંત્રીને કોઈ પરેશાની…
જૂનાગઢના ગિરનારની ધાર્મિક રીતે ખુબજ મહત્વ ધરાવતી પરિક્રમાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. આજે અંદાજે એકાદ લાખ યાત્રીકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પહોંચી યાત્રીકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળ્યો હતો. રૃટ પર રાવટીઓ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રીકો માટે અન્નક્ષેત્રો પણ ધમધમતા થઇ ગયા છે. આજે સવારથી શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન મજેવડી દરવાજા, કાળવા ચોક વિસ્તાર તરફથી યાત્રીકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળ્યો હતો. એસ.ટી. દ્વારા બસ સ્ટેન્ડ ખાતેથી તળેટી સુધી જવા માટે મિની બસ શરૃ કરી દેવામાં આવી છે. પરિક્રમા શરૂ થતા આ રૂટ પર…
દરેકે દરેક પાર્ટીને પોતાના કાર્યકર્તાઓ કરતા આયારામ- ગયારામ કરનારા સીનીયર કાર્યકરો દ્વારા જ મોટું નુકશાન પહોચાડવામાં આવતું હોવાના સેંકડો ઉદાહરણો ઉપલભ્ધ છે. સુરતમાં સત્તાની લાલચે ત્રણ દાયકા પહેલા પક્ષ માટે પનોતીરૂપ સાબિત થયેલા હીરા ગાંગાણી આ વખતે ફરી મેદાનમાં આવતા કાર્યકરોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે. સને ૧૯૯૦મા એટલે કે આજથી સત્યાવીસ વર્ષ પૂર્વે સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. તે સ,એ કોંગ્રેસમાં ફૂલેલી આંતરિક જૂથબંધીના કારણે અજીત દેસાઈ, હીરા ગાંગાણી તેમજ મંજુલાબેન પટેલ સહિતના લગભગ ૧૫થી વધુ કોર્પોરેટરો બળવો કરીને ભાજપમાં ભળી ગયા હતા અને પાલિકામાં કોંગ્રેસના શાસનનો અંત આવ્યો હતો. તે સમયે બળવો કરીને અજીત દેસાઈ મેયરપદે અને…
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ શરૂઆતથી જ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. પછી ભલે તે ફિલ્મના પોસ્ટરની વાત હોય કે, ટ્રેલરની, દરેક વખતે ફિલ્મ પ્રશંસા અથવા ટીકાઓનો સામનો કરતી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના ગીત ‘ઘૂમર’માં દીપિકા પદુકોણે જે ડ્રેસ પહેર્યો છે તેની કિંમત 30 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. ફિલ્મમાં રાણી પદ્માવતીનું પાત્ર ભજવી રહેલી દીપિકાને આ ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલા ગીત ‘ઘૂમર’માં તે રાજસ્થાની ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મ પોતાના ભવ્ય સેટ અને પાત્રોના કોસ્ચ્યૂમના લીધે પહેલેથી જ ખૂબ ચર્ચામાં છે. આવામાં દીપિકાનો આ કિંમતી ડ્રેસ…