IPL 2021: ભારતીય ટીમના લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ઘણીવાર આઇપીએલની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સના નેટ બોલર તરીકે જોવામાં આવે છે. તેઓ નેટ બોલર તરીકે ટીમ ઇન્ડિયા સાથે પણ જોડાયેલા રહ્યા છે. જોકે હવે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી આવૃત્તિમાં એટલે કે જોવા મળી શકે છે. અર્જુન તેંડુલકર આ વખતે આઇપીએલની હરાજી માટે બોલી બોલી શકે છે.
અર્જુન તેંડુલકરે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021માં ડેબ્યૂ કર્યું હતું. તે સાથે તેઓ આઇપીએલની હરાજીમાં જોડાઈ શક્યા હતા. જુનિયર તેંડુલકરે મુંબઈની ટીમ તરફથી આ વખતે ટી-20 ટુર્નામેન્ટમાં બે મેચ રમી હતી. જોકે બંને મેચમાં ટીમનો પરાજય થયો હતો અને અર્જુનનું પ્રદર્શન ખાસ નહોતું. તેમ છતાં તેઓ સિનિયર ટીમ તરફથી રમવાનું શરૂ કરી હોવાથી આઇપીએલની હરાજીને લાયક જોવા મળ્યા છે.
એક મીડિયા રિપોર્ટ તરીકે બીસીસીઆઇએ આઇપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજીમાં પોતાના નામ મોકલવા માટે કેટલાક નિયમો ઘડ્યા છે અને મુંબઈ તરફથી મેચ રમવા સાથે જ અર્જુન તેંડુલકર ક્વોલિફાઇ થઈ ગયો હતો. હવે અર્જુન તેંડુલકરે ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમમાં લોગ ઇન કરીને આઇપીએલ 2021ની હરાજી માટે રસ દાખવવું પડશે, ત્યારબાદ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (મુંબઈ ક્રિકેટ એસોસિએશન) બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ કરશે.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આઇપીએલ 2021ની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇએ માહિતી આપી છે કે આઇપીએલની 14મી સિઝનની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે. આ વખતે હરાજી મિની હશે, પરંતુ મેગા હરાજી 2022ની આઇપીએલ પહેલા યોજાવાની છે, કારણ કે તમામ ટીમો ફરી બનાવવામાં આવશે અને વધુ બે નવી ટીમો પણ ઈન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ છે.