ગુજરાતમાં મહા વાવાઝોડા નો ખતરો હજુ ટળ્યો નથી અને બદલાતી આગાહીઓ વચ્ચે હવે વાવાઝોડું ત્રાટકે તેવી વકી થી લોકો ને સાવચેત કરાયા છે અને આવનારી પરિસ્થિતિ ને પહોંચી વળવા સરકારે આગોતરી તૈયારીઓ કરી લીધી છે વિગતો મુજબ આ માટે સરકારે એરફોર્સના 10 હેલિકોપ્ટર અને કોસ્ટ ગાર્ડના 7 વિમાનો તેમજ ત્રણ જહાજને જરૂર પડ્યે ઉપયોગ માં લેવા સ્ટેન્ડબાય રાખ્યા છે, ઉપરાંત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાલમાં કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે એટલું જ નહીં ઇન્ડિયન એરફોર્સ નેવી તથા કોસ્ટ ગાર્ડ સાથે પણ સ્થિતિનું સતત મોનીટરીંગ કરી આગળ ના તત્કાળ પગલાં ભરવા સતત સંપર્ક માં છે.
હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા મુજબ છઠી તારીખે મોડી રાત અને સાતમી નવેમ્બરે વહેલી સવારે ‘મહા’ વાવાઝોડું પોરબંદર અને દીવના દરિયા કિનારા વચ્ચે ત્રાટકવા ની પૂરી સાંભવના રહેલી છે. હાલમાં પોરબંદર થી આ વાવાઝોડું 660 કિલો મીટર દૂર છે તેમજ વાવાઝોડાની ઝડપ 100 કિલોમીટરઅને વાવાઝોડાનો ઘેરાવો પણ 600 કિલોમીટરનો હોવાનું કહેવાય છે.
ગુજરાત સરકાર દ્વારા પણ આવનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાની આસપાસના 17 જેટલા ગામને એલર્ટ કરાયા છે એટલું નહીં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના અછત અને રાહત કમિશનરે પણ રાજ્યના તમામ જિલ્લા કલેકટરને સંભવિત વાવાઝોડાને પગલે પોતાના વિસ્તારમાં કેવી વ્યવસ્થા કરી તેની સૂચના આપી દીધી છે. તમામ અધિકારીઓની રજા અને રદ કરી દેવામાં આવી છે અને સમગ્ર તંત્રને હાઈએલર્ટ પર મુકી દેવાયું છે.
હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે મહા નામનું વાવાઝોડું નબળુ પડી જાય તેવી પણ શક્યતાઓ પણ રહેલી છે પણ જો મહા વાવાઝોડું દરિયા કાંઠે આવીને ડિપ્રેશનમાં પલટાઈ જશે તો પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે અને જો વાવાઝોડું નબળું ન પડે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે તો ભારે તબાહી થવાની શક્યતાઓ રહેલી છે, જેને પગલે તંત્ર દ્વારા ગંભીરતા દાખવી અસરગ્રસ્ત જણાતા વિસ્તારમાં સતત મોનીટરીંગ કરી રહ્યા છે.