Valsad વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલની વધુ એક સિદ્ધિ
Valsad કસ્તુરબા હોસ્પિટલમાં સૌપ્રથમવાર બેરિયાટ્રીક સર્જરી એટલે કે ઓબેસિટી વધુ પડતા વજન માટેની સર્જરી કરવામાં આવી.
વલસાડના મેડિકલ ઇતિહાસ માં સૌ પ્રથમવાર ડો. શૈશવ એસ પટેલ કે જે ફુલ ટાઈમ લેપ્રોસ્કોપી સર્જન તરીકે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે તેમના દ્વારા એક 130 કિલોના ( નામ અને ગામ) બહેનનું સફળતાપૂર્વક નું ઓપરેશન કરવામાં આવ્યું હતું .
આ ઓપરેશન થયા પછી એમનું વજન 3 મહિનામા 80 kg થયું છે
અને હવે તેમને હાઈ બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસની બીમારી હતી તે ધીમે ધીમે સારી થવા લાગી છેડો. શૈશવ, એ ડો.લાકડાવાળા કે જે મુંબઈના પ્રખ્યાત લેપ્રોસ્કોપીક બેરિયાટ્ક સર્જન સર એચ એન રિલાયનસ હોસ્પિટલમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે તેમની પાસે ટ્રેનિંગ લીધી છે.
આ સિવાય પણ ડો.શૈશવ દ્વારા ઘણી લેપ્રોસ્કોપી સર્જરી
પિત્તાશયની કોથળી ,એપેન્ડિક્સ,આંતરડાની સર્જરી, complex hernia ni surgery સફળતાપૂર્વક કરવામાં આવી છે. Valsad કસ્તુરબા હોસ્પિટલમાં લાંબા સમય પછી એક સારા બહોશ સર્જન મળ્યા છે અને એમના દ્વારા ઘણા ક્રિટિકલ તેમજ મુશ્કેલ ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. કસ્તુરબા હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા ડો. શૈશવ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં પણ કસ્તુરબા હોસ્પિટલમાં કોઈપણ નવીન સગવડ ઊભી કરવી હોય તો તેને માટે પણ તત્પરતા દાખવી હતી.