લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં વિવિધ રીતે મતદારોને મત આપવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મારુતિ કૂરિયર દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદારોને વોટ આપવા માટે જાગૃતિ લાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 23મી એપ્રિલે વોટીંગ કરવામાં આવશે. મારુતિ કૂરિયર દ્વારા મતદારોને અપીલ કરી વધુમાં વધુ મતદાન કરવાનું જણાવવામાં આવ્યું છે. મારુતિ કૂરિયર દ્વારા બે મહિનાથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મારુતિ કૂરયિરે રોજના બે લાખ પાર્સલમાં સ્ટીક ચોંટાડી મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
પાર્સલ પર ચોંટાડવામાં આવેલા સ્ટીકર પર લખવામાં આવ્યું છે કે તમારો એક મત દેશના ભાવિનું નિર્માણ કરશે. મારુતિ કૂરિયરના સીઈઓ મૌલિક મુકરિયાએ કહ્યું કે ગુજરાતમાં 400 જેટલા આઉટલેટ પર બેનર અને પોસ્ટર પર લગાવવામાં આવ્યા છે, જેમાં લોકોને વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં પહેલી વાર જે યુવાઓ વોટ આપવા જઈ રહ્યા છે તેમને વોટનું મહત્વન સમજાવવા માટે પણ અભિયાન ચાલવવામાં આવ્યું છે. કંપનીના પ્રયાસો છે કે નવા મતદારો લોકતંત્રના મહાપર્વમાં પોતાની ભૂમિકા સમજી-વિચારને નિભાવે. મૌલિક મુકરીયાએ કહ્યું કે મારુતિ કૂરિયરના ચેરમેન રામભાઈની પ્રેરણાથી અભિયાનને વેગવંતુ કરવામાં આવ્યું છે.
ગુજરાતમા 26 લોકસભા સીટ અને ચાર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. રાજ્યમાં ચાર કરોડ કરતા પણ વધુ મતદારો છે. એક કરોડ 94 લાખ મહિલા મતદારો છે અને 45380 જેટલા પોલીંગ સ્ટેશન ઠેય લોકસભાની ચૂંટણમાં તમામ સીટો પર કુલ 334 ઉમેદવારો મેદાનમાં છે. ચાર વિધાનસભાન પેટાચૂંટણીમાં 78 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત આ વખતે 45 લાખ નવા અને યુવા મતદારો છે. મારુતિ કૂરિયરની કોશીશ રહી છે કે વધુમાં વધુ વોટીંગ થાય. ચૂંટણી પંચે કહ્યું છે કે વોટીંગ માટે જે કંપનીઓ પ્રયાસ કરી યોગદાન આપી રહી છે તેમની કામગીરી સરાહનીય બની રહી છે.