SATYA DAYSATYA DAY
    What's Hot
    ks57Mg5r online GAMING

    ફૅન્ટેસી સ્પોર્ટ્સ બોડીએ સરકારને વિનંતી કરી કે ઓનલાઈન ગેમિંગ પર 28% GST ન લગાવો, નિયમ 1લીથી લાગુ થશે

    October 4, 2023
    Mumbai

    Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

    October 4, 2023
    haldi 1

    સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી, 2030 સુધીમાં હળદરની નિકાસ 1 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે

    October 4, 2023
    Facebook Twitter Instagram
    Thursday, October 5
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook Twitter Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Display»ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો: ઈસુદાન ગઢવી
    Display

    ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો: ઈસુદાન ગઢવી

    Office DeskBy Office DeskSeptember 14, 2022No Comments5 Mins Read
    Facebook Twitter WhatsApp
    AAP party 1
    Share
    Facebook Twitter WhatsApp

    નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે: ઈસુદાન ગઢવી

    હું અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નિવૃત્ત જવાનોના ધરણા પ્રદર્શન વાળી જગ્યાએ ખબર લેવા ગયા હતા: ઈસુદાન ગઢવી

    નિવૃત સૈનિકોની માંગોને લઈને જે રીતે તેમના પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી: ઈસુદાન ગઢવી

    ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું: ઈસુદાન ગઢવી

    જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ જવાનો પર હુમલા કરવાની શું જરૂર છે?: ઈસુદાન ગઢવી

    ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમનું 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, અને સરહદ પર પોતાની જાનની બાજી લગાવતા જવાનોની માંગ સરકાર સાંભળતી નથી: ઈસુદાન ગઢવી

    ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી

    નિવૃત જવાનની મૃત્યુ દર્શાવે છે કે ભાજપને શાસન કરતા આવડતું નથી, રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે: ઈસુદાન ગઢવી

    નિવૃત જવાનની મૃત્યુ બાદ ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે કે તે જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી પણ છે: ઈસુદાન ગઢવી

    ગોમતીપુરમાં જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે: ઈસુદાન ગઢવી

    ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં: ઈસુદાન ગઢવી

    ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે, તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે: ઈસુદાન ગઢવી

    આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે: ઈસુદાન ગઢવી

    ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે: ઈસુદાન ગઢવી

    ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે: ઈસુદાન ગઢવી

    અમદાવાદ/ગુજરાત

    આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ગતરોજ હું અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ અમે બંને નિવૃત્ત સૈનિકો જ્યાં બેઠા હતા ત્યાં ગયા હતા. તેમની માંગોને લઈને જે રીતે નિવૃત સૈનિકો પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી. જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ તેમના પર હુમલા કરવાની શું જરૂર છે? આના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ જવાન વિરોધી છે. જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે.

    જે રીતે જવાનો એમની માંગણી લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને લાઠીચાર્જ કર્યા બાદ બેરહેમીના કારણે એમનો જીવ ચાલ્યો ગયો. ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમને તો તમે બધું આપી દો છો, 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, પરંતુ તેમણે જરૂર જ નથી. આ લોકો સરકાર પાસે કંઈક માંગ કરી રહ્યા છે અને આ તે લોકો છે જે તમારી અને મારી સુરક્ષા માટે, સરહદ પર પોતાની જાનની બાજી લગાવે છે. તમે વિચાર કરો કે ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું. ભાજપ નાકામયાબ સાબિત થઈ છે અને ભાજપને શાસન કરતા આવડતું નથી. રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે જે સરકાર સી.આર.પાટીલ બેકફુટ ઉપર ચલાવે છે અને એ જ કારણસર આ નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું છે.

    ઈસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, આખા દેશને ખબર છે કે ગુંડાઓની, બેઈમાનોની પાર્ટી કોણ છે. આમ આદમી પાર્ટીના લોકો પર વારંવાર હુમલાઓ કરવા, હમણાં જ સૌએ જોયું છે કે અમારા મહામંત્રી મનોજ સોરઠીયાનું માથું ફાડી નાખ્યું હતું. મીડિયાને પણ ખબર છે કે તે કોણ છે. ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગયા છે. ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો. જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો નથી કર્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે ડોર ટુ ડોર કેમ્પેનમાં લોકોના ઘરે ઘરે જઈને ગેરંટી કાર્ડ વેચી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં આવીને વિરોધ કર્યો હતો. છતાંય ત્યાં અમારા કાર્યકર્તા ગીતાબેન અને એમના પતિ તે જગ્યા છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પાછળથી જે લોકોએ આ કામ કર્યું હોય તેની અમને કોઈ જાણ નથી.

    આમ આદમી પાર્ટીને બદનામ કરવાની ભાજપ વાળા કોઈ કસર છોડતા નથી. આમ આદમી પાર્ટી શરીફોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર, કટ્ટર દેશભક્ત પાર્ટી છે. ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે. તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે. ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં.

    ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે. એટલે અર્બન નક્સલવાદીઓ જેવા મુદ્દાઓ હવે ભાજપ વચ્ચે લાવી રહી છે. આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે. તે માટે જો ભાજપ કોઈ ચાલ ચાલી રહી હોય તો તે સપના જોવાનું છોડી દે. ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે. ભગવાનથી પ્રાર્થના છે કે હવે ગુજરાતને ભાજપના ભ્રષ્ટ શાસનથી મુક્ત કરાવે.

    Share. Facebook Twitter WhatsApp
    Office Desk
    • Website
    • Facebook
    • Twitter

    Related Posts

    Screenshot 2023 10 02 at 7.23.03 PM

    સુરતઃ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબી ગયેલો 13 વર્ષનો બાળક 36 કલાક બાદ જીવતો મળી આવ્યો, ગણેશ મૂર્તિએ આ રીતે બચાવ્યો જીવ

    October 2, 2023
    VtwjjOlx satyadaynews

    સુખપાલ ખૈરાની ધરપકડ પર નવજોત સિંહ સિદ્ધુએ તોડ્યું મૌન, કહ્યું ભારત ગઠબંધન પર શું થશે અસર?

    October 1, 2023
    Ahmedabad metro satya day

    Gujarat: અમદાવાદ મેટ્રોએ તેનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું, વર્ષમાં આટલા લોકો મુસાફરી કરે છે, દર મહિને રાઇડર્સની સંખ્યા વધી રહી છે.

    September 30, 2023
    pannun

    Gujarat : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ સામે FIR, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ધમકીનો મામલો

    September 29, 2023
    - Advertisement -
    Editors Picks
    Mumbai

    Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

    Sanjay Singh Arrested

    Sanjay Singh Arrested: EDએ સંજય સિંહની કરી ધરપકડ, CM કેજરીવાલે કહ્યું- ચૂંટણી સુધી તેઓ વધુ ઘણા વિપક્ષી નેતાઓની ધરપકડ કરશે

    u4ibbZui satyadaynews

    સતનામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે દબાઈને એકનું મોત, બે ઘાયલ

    q6857oJ5 satyadaynews

    ઉજ્જવલા યોજના અંગે મોટી જાહેરાત, કેન્દ્ર તરફથી ભેટ; હવે તમને માત્ર રૂ.માં એલપીજી સિલિન્ડર મળશે.

    13MsNp8Y satyadaynews

    શૌચાલયની સફાઈ માટે હોસ્પિટલના ડીન મેળવનાર શિવસેના સાંસદની મુશ્કેલી વધી, FIR નોંધાઈ

    Latest Posts
    ks57Mg5r online GAMING

    ફૅન્ટેસી સ્પોર્ટ્સ બોડીએ સરકારને વિનંતી કરી કે ઓનલાઈન ગેમિંગ પર 28% GST ન લગાવો, નિયમ 1લીથી લાગુ થશે

    Mumbai

    Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

    haldi 1

    સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી, 2030 સુધીમાં હળદરની નિકાસ 1 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે

    - Advertisement -
    © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
    • Ramat Jagat
    • Gujarati Bhajan
    • Gujju Media

    Type above and press Enter to search. Press Esc to cancel.