Organic farming in India: રસાયણ વિના ખેતી કેવી રીતે શક્ય છે? જાણો જીવામૃતથી ઓર્ગેનિક ખેતીનો સફળ ફોર્મ્યુલા

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

દેશી પદ્ધતિથી બનાવો જીવામૃત, વધારો પાકનું ઉત્પાદન અને સ્વાસ્થ્ય

Organic farming in India: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીની પદ્ધતિઓમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ રસાયણિક ખાતર અને જંતુનાશકોથી દૂર જઈ રહ્યા છે. Organic farming એટલે કે પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ વધતો જઈ રહ્યો છે. બજારમાં આવા કુદરતી રીતે ઉગાડાયેલા અનાજ અને શાકભાજીની માંગ ઝડપથી વધી રહી છે. કારણ કે લોકો હવે સ્વસ્થ ખોરાકને મહત્વ આપી રહ્યા છે. જો તમે પણ ખેતી કરો છો અને વધુ ઉત્પાદન સાથે જમીનની ગુણવત્તા જાળવી રાખવા માંગો છો, તો પ્રાકૃતિક ખેતી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

પ્રાકૃતિક ખેતી શું છે?

પ્રાકૃતિક ખેતી એ એવી પદ્ધતિ છે જેમાં કોઈપણ પ્રકારના રસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. તેના બદલે કુદરતી ઘટકો જેવા કે ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ અને ગોળ વડે તૈયાર થનારા દ્રાવણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ જમીનની ફળદ્રુપતા વધારે છે, પાકને પોષણ આપે છે અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ઘરે બનાવો જીવામૃત ખાતર

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત એક મહત્વપૂર્ણ કુદરતી ખાતર છે, જે ખેતર માટે પ્રાણવાયુ સમાન છે. Organic fertilizer preparation સરળતાથી ઘરે થઈ શકે છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે જીવામૃત બનાવવા માટે માત્ર દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જ જરૂર પડે છે.

- Advertisement -

Organic farming in India 2.png

જીવામૃત બનાવવા માટેની સામગ્રી:

- Advertisement -
  • દેશી ગાયનું તાજું છાણ – 5 કિલો

  • ગાયમૂત્ર – 5 લિટર

  • દેશી ગોળ – 1 કિલો

  • ચણાનો લોટ – 1 કિલો

  • પાણી – 200 લિટર

બનાવવાની રીત

એક મોટા ડ્રમમાં 200 લિટર પાણી ભરો અને તેમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ અને ચણાનો લોટ ઉમેરો. લાકડાની દાંડીથી મિક્સ કરો અને છાંયાવાળી જગ્યાએ ઢાંકી દો. દર 12 કલાકે હલાવતા રહો. 48 કલાક પછી તમારું જીવામૃત તૈયાર છે.

કેવી રીતે ઉપયોગ કરવો

જીવામૃતને 1:5 ના પ્રમાણમાં પાણીમાં ભેળવીને પાક પર છંટકાવ કરો. ટપક સિંચાઈ દ્વારા પણ આપવું શક્ય છે. આ દ્રાવણ પાકને પોષક તત્વ પૂરા પાડે છે અને જમીનમાં રહેલા સુક્ષ્મસજીવોને સક્રિય રાખે છે.

Organic farming in India 1.png

- Advertisement -

ઘન જીવામૃતના ફાયદા

જીવામૃતમાંથી બાકી રહેલો ઘન ભાગ જમીન માટે ઉત્તમ જૈવિક ખાતર તરીકે કામ કરે છે. વાવણી પહેલાં તેને જમીનમાં ભેળવી દેતાં જમીનની ફળદ્રુપતા અને ભેજ જાળવી રાખવાની ક્ષમતા બંને વધે છે.

પ્રાકૃતિક ખાતરના લાભ

  • જમીનની ફળદ્રુપતા વધે

  • પાકની ગુણવત્તામાં સુધારો

  • રાસાયણિક ખર્ચમાં ઘટાડો

  • સ્વાસ્થ્ય માટે સલામત ખોરાક

  • જમીનની પોષણ શક્તિ લાંબા સમય સુધી ટકી રહે

શા માટે જરૂરી છે પ્રાકૃતિક ખેતી

આજના સમયમાં રસાયણિક ખાતરવાળા ખોરાકના કારણે કેન્સર, હોર્મોનલ અસંતુલન, અને કિડનીની બીમારીઓ વધી રહી છે. જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવેલ પાક સ્વાદિષ્ટ, પોષક હોય છે. Organic farming માત્ર જમીન માટે જ નહીં પરંતુ માનવજાતના ભવિષ્ય માટે પણ આશીર્વાદરૂપ છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.