રાજ્યના શહેરોમાં રસ્તામાં ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને બંધ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તામાં લાયસન્સ વગર ચાલતી લારીઓને બંધ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પત્ર લખી કહ્યું કે,ગુજરાતની શાન અને કર્ણાવતી મહાનગરની સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખી શહેરના રસ્તાઓ , ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ બીજી બાજુ એ શાકાહારી ની ગેરકાયદે ધમધમતી લારીઓના દબાણ તરત દૂર કરાવવા જરૂરી છે.
હાલમાં રસ્તામાં માંસ, મટન, મચ્છી વેચાતા હોવાથી રાહિદરને રસ્તા પરથી નીકળી શકાતું નથી. આ ઉપરાંત લોકોની ધાર્મિક લાગણી પણ હણાય છે. સ્વચ્છતા, જીવદયા અને સંસ્કૃતિનું પાલન કરવા આ કરવું જરૂરી બન્યું છે. આના સિવાય પશુઓ, મરઘી, મચ્છી વગેરેનું ગેરકાયદેસર રીતે મારીને વેંચતા વહોવાનું હોવાનું જાણવા મળેલ છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રૂલ્સ અને રેગ્યુ 2011 મુજબ રસોઈના સાધનો, ઓપરેશન, નિભાવ, સેનિટેશન, હાઈજીન, રેકડની જાળવણી વગેરેનું પણ પાલન થતું નથી.
આવા સ્થળ પાર આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક અને લોકોને ઉપદ્રવકારક હોઇ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ ના હોઇ વહેલામાં વહેલી તકે આવા દબાણના સ્થળોએ લેખિતમાં નોટીસ આપવીઅને તેમ છતાં જો દબાણ દૂર થાયતો જી.પી.એમ.સી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.