અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે.
અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોનાના ભોગ બન્યા છે. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં હોય એવા અસંખ્ય લોકોની ગણતરી કરવામાં આવી નથી.
અમદાવાદમાં ફ્રન્ટલાઈન warriors ને સુરક્ષાના તમામ સાધનો આપવા માટે વ્યાપક માંગણી થઈ રહી છે. સુરક્ષાના સાધનો ન હોવાના કારણે તેઓ ભોગ બની રહ્યાં છે.
અત્યાર સુધીમાં 25થી વધુ ડોકટરો અને કર્મચારીઓ ભોગ બન્યા છે. જેના કારણે એલજી હોસ્પિટલમાં સારવાર બંધ કરવાની ફરજ પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર સહિત 30 કરતા વધારે કર્મચારીઓ કોરોના સંક્રમિત જાહેર થયા છે. જમાલપુરના મેડિકલ ઓફિસર પણ કરુણા પોઝિટિવ જાહેર થયા હતા.
મધ્ય ઝોનના આસિસ્ટન્ટ TDOને કોરોના પોઝિટિવ આવતાં મોડી રાત્રે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. અધિકારી કોટ વિસ્તારમાં, કાલુપુર શાકમાર્કેટ ખસેડવું, રિવરફ્રન્ટમાં વ્યવસ્થા કરવા જેવી મહત્વની કામગીરી તેમણે સંભાળી હતી.
કોરોનાની મહામારીમાં નાગરિકોને જાગૃત કરવાની જવાબદારી સ્કૂલબોર્ડના શિક્ષકોને સોંપવામાં આવી છે. મ્યુનિસિપલ શાળાના 3400 કરતા પણ વધારે શિક્ષકો ઘરે ઘરે ફરીને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. પરંતુ તેમને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા નથી. એક આચાર્ય સહિત ત્રણ શિક્ષકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. બીજા અનેક ભોગ બનશે. તે પણ મ્યુનિસિપલ કમીશ્નર વિજય નેહરાની લાપરવાહીના કારણે આવું થઈ રહ્યું છે.
બે શિક્ષકોની સ્થિતિ યથાવતછે જ્યારે એક શાળાના આચાર્ય હાલ વેન્ટિલેટર પર છે. તથા તેમની તબિયત અત્યંત નાજુક છે તેથી જનજાગૃતિ અભિયાન તેમજ અન્ય તમામ પ્રકારના કામ કરતા મ્યુનિસિપલ શિક્ષકોને સુરક્ષાના તમામ સાધનો આપવા જરૂરી છે.