અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી દારૂ ને જુગાર ના વિવાદોને લઈ અનેક પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ બેરોકટોક ચાલતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી જે ને પગલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા આકરું વલણ દાખવી અમદાવાદ શહેરમાં ઠેકઠેકાણે વિઝીલન્સની રેડ કરવામાં આવી હતી અને જેમાં નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને બે પી.એસ.આઈ. ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે બાદ અનેક પોલીસ સ્ટેશનોમાં વહીવટદાર તરીકે પોતાનું પ્રભુત્વ ધરાવતા અનેક વહીવટદારો ની કે કંપનીમાં બદલી કરી દેવામાં આવી છે.
જો આ વિવાદિત બનેલા વહીવટદારો ની કે કંપનીમાં બદલી કરી દેવાથી હવે જે તે પોલિસ સ્ટેશનનો વહીવટ નહીં કરે કે કરશે ? તે પણ એક સવાલ ઉભો થયો છે કારણકે આ વહીવટદારો નું પ્રભુત્વ એટલું બધું છે કે પોતેજ વિસ્તારના ડીસીપી લેવલના હોય તે રીતે ધાક જમાવીને બેસી ગયેલા હતા.
જો આ 13 વહીવટદારો ની બદલી કરી દેવામાં આવી તો હવે પોલીસ બેડામાં અંદર અંદર જ ખેંચતાણ ઉભી થઇ છે અને એક વહીવટદારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે સૌથી મોટા દારૂના અડ્ડા વેજલપુરમાં પણ ખુલ્લેઆમ ચાલે છે તો વેજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર રાજભા અને રાકેશ ની બદલી શા માટે ના કરવામાં આવી ? કેમ આ વહીવટદાર ઉચ્ચ અધિકારીઓ ને વધારે સાચવે છે જેવી અનેક ચર્ચાઓ પોલીસ બેડામાં શરૂ થઈ છે.
હાલમાં તો ગુજરાત રાજ્યના ડીજીપી એ બદલીઓ કરી આકરા પાણીએ હોવાથી અમદાવાદ શહેર પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સસ્પેન્ડ થવાના ડરે શીખ ની રજા લઈ ઘરે આરામ કરી ઘરે બેઠા પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે.