અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં ચાલી રહેલા હુક્કાબાર સામે પોલીસ ગમે તેટલી વખત સર્ચ ઓપરેશન કરે, પરંતુ કોઇ પણ હુક્કાબારના માિલક સામે ગુનો દાખલ થતો નથી. સુપ્રીમ કોર્ટે હુક્કાબાર ચલાવવા માટે આપેલી ગાઇડલાઇનનું પાલન થતું ના હોય તો પોલીસ માત્ર હુક્કાબારના માિલકોને દંડ કરીને છોડી મૂકે છે, જેના કારણે પોલીસ ગમે તેટલી વાર કાર્યવાહી કરે તો પણ હુક્કાબાર ધમધમતા જ રહે તેવી સ્થિતિ છે.
શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘના આદેશથી શહેરના વસ્ત્રાપુર, સેટેલાઇટ, સોલા વિસ્તારમાં આવેલા 40 જેટલા હુક્કાબારમાં બુધવારે મોડી રાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જે પૈકી 21 જેટલા હુક્કાબાર પોલીસ આવે તે પહેલાં બંધ થઇ ગયા હતા. શહેર પોલીસે 40 કરતાં વધુ હુક્કાબારનું એક લિસ્ટ પોલીસ કમિશનરને આપ્યું હતું, જેમાં બુધવારે મોડી રાતે ચકાસણી કરતા સમયે અંદાિજત 19 જગ્યાએ સુપ્રીમ કોર્ટના નિયમોનો ભંગ થઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં તેમની સામે જાણવાજોગ તથા એનસી ફરિયાદ નોંધી હતી.
પોલીસ કમિશનરે થોડાક દિવસ પહેલાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઇને આદેશ કર્યાે હતાે કે તમારા વિસ્તારમાં હુક્કાબારની ચકાસણી કરવી અને રેસ્ટોરાંમાં હુક્કાબારની સગવડ હોય ત્યાં તપાસ કરવી, જેમાં હુક્કાબાર રેસ્ટોરાંનાં નામ સીિટંગ કેપેિસટી, રેસ્ટોરાંનું લાઇસન્સ છે કે કેમ ફોટોગ્રાફ્સ સાથે મોકલવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આપેલી ગાઇડલાઇન પ્રમાણે હુક્કાબાર ચાલતું ના હોય તો પોલીસને માત્ર દંડ કરવાની જોગવાઇ છે. જો હુક્કાબારમાં 0.5 ટકાથી વધુ નિકોટીન મળી આવે તો તમાકુ અધિિનયમ મુજબ પોલીસ હુક્કાબારના માિલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને જામીન પર છોડી મૂકે છે.