અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના ત્રાગલ રોડ પર આવેલા ઉપવન ફ્લેટમાં રહેતી યુવતીએ સાતમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો છે.આત્મહત્યાની આ ઘટનાથી પરિવારજનો સહિત સમાજમાં ખળભળાટ મચી ગયો છે. આ પછી પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવતીની ઓળખ પ્રિયંકા પરમાર તરીકે થઈ છે અને તેની ઉંમર 31 વર્ષ હોવાનું કહેવાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી તેની માતા અને બહેનો સાથે રહેતી હતી અને ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરતી હતી. જોકે, યુવતીને શારીરિક તકલીફો પણ હતી જેના કારણે તે લગ્ન કરી શકી ન હતી. આ બધાથી કંટાળીને આખરે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતી પણ વિદેશ જવા માંગતી હતી. 31 વર્ષીય પ્રિયંકા ત્રાગડ રોડ પર ઉપવન રેસિડેન્સીના સાતમા માળે રહેતી હતી.
આ ઘટના સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી. એક તરફ છોકરીમાં શારીરિક ખામી હતી અને પરિવારમાં માતા-બહેનો છે. હવે પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે કે યુવતીએ પોતાની પરેશાનીના કારણે આપઘાત કર્યો છે.
ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરતી યુવતી પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. હવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આજે વધુ તપાસ હાથ ધરાશે તેવી હકીકત છે. પોલીસ યુવતીના પીએમની કાર્યવાહી કરી રહી છે અને અલગ-અલગ લોકો અને પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવશે.