લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. દેશના મહાન લોહપુરુષની જન્મ જયંતિ નિમિતે સમગ્ર દેશમાં કાર્યક્રમો યોજાયા હતા ત્યારે અમદાવાદમાં પણ સરદારને શ્રદ્ધા સુમન અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના ભાજપ પ્રમુખ અને નિકોલના ધારસભ્ય જગદીશ પંચાલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અતી ઉસ્તાહ કહો કે ભાન ભૂલી જવું નિકોલના ધારસભ્ય જગદીશ પંચાલે સરદારની પ્રતિમાને હાર-તોરા કર્યા હતા. જગદીશ પંચાલે પગના જૂતા ઉતાર્યા વગર હાર પહેરાવ્યો હતો. સરદારની પ્રતિમાનું અપમાન કર્યું હતું
જોવાનું એ છે કે આવી ઘટનાઓ ખુબજ ગંભીર છે, આટલી મહાન હસ્તીનું આવું અપમાન નિંદનીય છે.