આવતીકાલે મકારસંક્રાંતિનો મોટો તહેવાર છે ત્યારે અનેક પતંગ રસિયાઓ ને આ વર્ષે નારાજ થવાનો વારો આવ્યો છે કારણકે આ વર્ષે કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં પોતાના પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બહાર થી આવતા મિત્રો કે મહેમાનો ને આ વર્ષે ભેગા કરવાની ના પાડવામાં આવી છે ત્યારે ખાડિયા ના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આ સરકારની ગાઈડલાઈન ને ઘોળી ને પી ગયા હોય તે રીતે અને પોલીસનો કોઈજ પ્રકારનો ડર ન હોય તે રીતે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને જે મેસેજ પણ ભૂષણ ભટ્ટે પોતાના મોબાઈલ નંબર ઉપર થી જ વાયરલ કર્યો છે જેમાં લખ્યું છે કે ઉત્તરાયણ નો ઉત્સવ મનાવવા મારા ઘરે આવવા માટે જાહેર આમંત્રણ છે તો હવે આ મેસેજ વાયરલ થતા જ સ્થાનિક રહીશો અને આગેવાનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.
બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જગત શુક્લાએ પણ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ઝાટકણી કાઢી છે અને જણાવ્યું હતું કે નિયમ બધા માટે જ સરખા હોય છે અને જો પૂર્વ ધારાસભ્ય દ્વારા આવો મેસેજ વાયરલ કર્યો એ બઉ જ હાસ્યાસ્પદ કહેવાય અને જો પૂર્વ ધારાસભ્ય ને જ કોઈ પ્રકાર નો ડર ન હોય તો આમ જનતા ને સેનો ડર.
હવે જોવાનું એ રહ્યું કે જો આ મેસેજ ના આધારે આવતીકાલે ઉત્તરાયણ ના દિવસે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પોતાના ઘરે લોકોને ભેગા કરશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે પછી સરકાર અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ની સામે ખાડિયા પોલિસ ઘૂંટણિયે બેસી જશે તે જોવાનું રહ્યું.