અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ બાંધવું એ કોઈજ નવાઈ ની વાત નથી કારણકે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે.
અમદાવાદના પશ્ચિમ ઝોન વિસ્તારની વાત કરીએ તો એલિસબ્રિજના પાલડી વોર્ડના પ્રીતમનગરમાં આવેલ ટી.પી.સ્કીમ નંબર 3,ફાઇનલ પ્લોટ નંબર 818/1 માં બાંધવા માં આવેલ શાંતિકૃપા નામની સ્કીમ અનેક ગેરરીતિઓ હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા ના અધિકારી ચૈતન્ય શાહ પાલડી વોર્ડના ઇન્સ્પેક્ટર રૂપલ બેન ભગત દ્વારા કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.આ બાંધવામાં આવેલ સ્કીમ હાલની સ્થિતિમાં ફક્તને ફક્ત 25 થી 28 ફૂટના રોડ ઉપર બાંધી દેવામાં આવી હોવા છતાં પણ બિલ્ડર અને એસ્ટેટ ખાતાના અધિકારી ચૈતન્ય શાહ અને પાલડી વોર્ડના ઇન્સ્પેક્ટર રૂપલ બેન ભગત ની મિલીભગત સંપૂર્ણ પણે દેખાઈ રહી છે.
જ્યારે 2015 માં આ સ્કીમ નું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ આ બિલ્ડર વિવાદમાં રહ્યો છે કારણકે 2015 થી જ આ બિલ્ડર ની સ્કીમ શાંતિકૃપા રેસિડેન્સી અનેક વિવાદોમાં રહીને તેની પોલ ખુલ્લી પાડેલ છે છતાં પણ લાગતા વળગતા અધિકારીઓએ તેને ગટર લાઇન અને પાણી લાઇનના કનેકશનો આપેલ છે.આ બિલ્ડરને કયા કારણોસર સ્પેશિયલ બેનિફિટ આપવામાં આવ્યો છે તેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કારણકે આવી બીજી કોઈજ સ્કીમ ને પરમિશન આપવામાં આવતી નથી.2015માં આ સ્કીમ ને કોર્પોરેશન દ્વારા સીલ પણ મારવામાં આવી હતી .ત્યારબાદ ફરિયાદી ની વાંધા અરજી હોવા છતાં પણ આ બિલ્ડર ની સ્કીમ નું સીલ ખોલી દેવામાં આવ્યું હતું અને કામગીરી જોરશોર માં શરૂ કરી દેવામાં આવી હતી.
હાલમાં એક બીજા સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આર.ટી.આઈ. કરવામાં આવી હતી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતા એ જવાબ માં સંપૂર્ણ પણે લખ્યું છે કે આ સ્કીમ ને બી.યુ.પરમિશન આપવામાં આવેલ નથી અને ગટર પાણી ના કોઈજ પ્રકારના કનેક્શન ની પરમિશન આપવામાં આવેલ નથી તેમ છતાં બિલ્ડર નેહલ શાહ અને બાબુ ભાઈ શેઠ દ્વારા ગેરકાયદેસર રીતે ગટર અને પાણીના કનેક્શન લઈ ને લોકોને રહેવા માટે આપી દીધું છે તો પાલડી વોર્ડના ગટર પાણી ખાતા ના અધિકારી અનિલ પ્રજાપતિએ આ પરમિશન કેવી રીતે આપી અને જો ગેરકાયદેસર કનેક્શન છે તો બિલ્ડર ઉપર કોઈજ પ્રકાર ની કાર્યવાહી કેમ કરવામાં નથી આવી.સ્થાનિક રહીશોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે ગટર અને પાણીના ગેરકાયદેસર કનેક્શન લેવા હોય તો પાલડી વોર્ડ ના ગટર પાણી ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ દ્વારા મસમોટા રૂપિયા લેવામાં આવી રહ્યા છે જેથી કોઈને પણ ગેરકાયદેસર કનેક્શન લેવું હોય તો તરત જ અનિલ પ્રજાપતિ ને મળી લેવામાં આવે એટલે બધો જ પ્રોબ્લેમ પતાવી દે છે.
આ સ્કીમ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતા દ્વારા બી.યુ.પરમિશન 2015 થી 2021 સુધી આપવામાં નથી આવી તો કયા કારણોસર આપવામાં નથી આવી તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.
આ બિલ્ડર નેહલ શાહ અને બાબુભાઇ શેઠ ને કાયદાનો કોઈજ પ્રકારનો ડર ન હોય તે રીતે બિન્દાસ પણે પાર્કિંગ ની જગ્યા માં પણ 2 ફ્લેટ ઉભા કરી દેવામાં આવ્યા છે અને લોકો ને રહેવા પણ આપી દીધા છે તો સવાલ એ થઈ રહ્યો છે કે બી.યુ. પરમિશન વગરના મકાન માં બિલ્ડર પજેશન કેવી રીતે આપી શકે ? જો હવે કોર્પોરેશન દ્વારા આ બિલ્ડર ની સ્કીમ ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો જે લોકોએ લાખો રૂપિયા ખર્ચીને ફ્લેટમાં રહેવા આવી ગયા છે તે લોકોની હાલત શુ થશે ? હવે જોવાનું એ રહ્યું કે બિલ્ડર નેહલ શાહ અને બાબુભાઇ શેઠની તાનાશાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ ખાતા ના અધિકારીઓ ઉપર કેટલા અંશે ચાલશે.જો આ બાબતને લઈ ને એસ્ટેટ ખાતાના અધિકારી ચૈતન્ય શાહ અને પાલડી વોર્ડના એસ્ટેટ ઇન્સ્પેક્ટર રૂપલબેન ભગત અને પાલડી વોર્ડના ગટર પાણી ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ સામે વિજિલન્સ તપાસ સોંપીને ખાતાકીય તપાસ કરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય તેમ છે.