અમદાવાદ શહેરના નરોડામાં કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે. નરોડાના કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે ગત રાતે પ્રેમ માર્કેટનું બિલ્ડિંગ ધરાશાયી થયું.
જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે
ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતા સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ કાટમાળમાં દટાયેલ લોકોને બચાવવાની કામગીરી થઈ. જોકે આ ઘટનામાં એકનું મોત થયુ છે..જ્યારે બે લોકોને બચાવી લેવાયા છે. અત્યંત જર્જરિત પરિસ્થિતિમાં હતું આ પ્રેમ માર્કેટ. ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે હાલ કામગીરી કરી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ ત્રણ લોકો હજુ કાટમાળનીચે ફસાયેલા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે હાલ કામગીરી કરી રહી છે
- મધરાત્રીએ આ મકાન ધરાશયી થયું
- ત્રણ લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા
- ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાથ ધરાઈ કામગીરી
- જર્જરિત સ્થિતિમાં હતું પ્રેમ માર્કેટ
વધુ કાટમાળ ખસેડવાની તજવીજ ફાયર વિભાગ દ્વારા હાથ ધરાઈ
- કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે એક કોમર્શિયલ બિલ્ડીંગ થયું ધરાશાઈ
- 02 વ્યક્તિઓને કાટમાળ માંથી જીવિત બહાર કાઢયા
- વધુ કાટમાળ ખસેડવાની તજવીજ ફાયર વિભાગ દ્વારા હાથ ધરાઈ
- 01 વ્યકિતનું નિપજ્યું કરૂણ મોત