અમદાવાદ માં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કરાણે રસ્તા તૂટી જતા તંત્રની પોલ ખુલી ગઈ છે..તેવામાં હવે મહાપાલિકાએ તૂટેલા રોડ અને ઉબડખાબડ રસ્તાઓ પર થીગડા મારવાનું કામ ચાલુ કર્યુ છે…શહેરના ગુરુકુળ ત્રણ રસ્તાથી હેલ્મેટ સર્કલ સુધીના રસ્તા પર કોર્પોરેશને રિસરફેસિંગના નામે રસ્તા પર થીગડા મારવાનું શરૂ કર્યુ છે.અમદાવાદ મહાપાલિકા દરવર્ષે પ્રિમોન્સુન કામગીરીને લઈને મસમોટા પ્લાનિંગ કરે છે..પરંતુ આ તમામ પ્લાનિંગ કાગળ પર જ રહી જાય છે..આ વર્ષે પણ વરસાદ બાદ શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયા..ખાસ કરી..નારણપુરાના એઈસી બ્રિજ પાસેથી ખરાબ રસ્તાથી વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે..એક જ વરસાદમાં શહેરના રોડ અને રસ્તાઓની વાસ્તવિકતાનો ચિતાર સામે આવી જતો ગયો.
Sunday, May 19