અમદાવાદ શહેરને સ્માર્ટસીટીનો દરરજો મળ્યો છે. ત્યારે શહેરમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી છે. ઉલ્લેખનીય છે કે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે. ત્યારે સનાથલ ચોકડી પાસેનો રસ્તો પણ સંપૂર્ણપણે ધોવાઇ ગયો છે. અહીં છેલ્લા 3 વર્ષથી સનાથલથી ધોળકાને જોડતો પુલ બની રહ્યો છે. ઔડા દ્વારા ગોકળગાયને પણ શરમાવે તેવી ગતિથી પુલનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે વાહનચાલકો ખૂબ પરેશાન થઇ રહ્યા છે.
- અમદાવાદ ના વરસાદ ના સનાથલ ચોકડી પાસે રસ્તા ધોવાયા
- છેલ્લા ત્રણ વર્ષ થી સનાથળ થી ધોળકા ને જોડતો પુલ બની રહ્યું છે
- ઔડા ની ધીમી ગતિએ કામ ચાલતો હોવાથી વાહન ચાલકો પરેશાન