ભાઇ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન ભાઇ -બહેનો સૌગાત રક્ષાબંધનને લઇ દરેક બહેન પોતાના ભાઇને ઘરે રાખડી બાંધવા જતી હોય છે. આ વખતે રક્ષાબંધનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા મહિલાઓ માટે 10 રૂ આખા દિવસ મુસાફરી કરી શક્શે તેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે તો રાજકોટમાં મનપા દ્રારા રક્ષાબંધનને મફત મહિલાઓ માટે બસ સેવા ઉપલબ્ધ કરાઇ છે
આ અંગે AMTSના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યુ હતુ કે દર વર્ષેની જેમ આ વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોને ટિકિટમાં રાહત આપી છે જેમાં 3 ઓગસ્ટે આ બાબત અંગે પરિપત્ર બહાર પાડ્યુ હતુ 11 ઓગસ્ટે રક્ષા બંધન નિમિત્તે બહેનો માટે રૂ 10 ટિકિટના દર રાખી આખા દિવસ મુસાફરી કરી શકાશે તેવી અલયાદી વ્યવસ્થા ઉભી કરાઇ છે અને બાળકો માટે 5 રૂપિયા ભાડુ રક્ષાબંધનના પર્વ પૂરતુ રાખ્યુ છે
સામાન્ય દિવસમાં બસમાં મનપસંદ ટિકિટનું ભાડું 35 જેટલો લેવાય છે જયારે મહિલાઓ પાસેથી 20 અને બાળકો પાસેથી 10 રૂપિયા ટિકિટનું દર લેવાય છે પરંતુ આ વખતે ટિકિટમાં રક્ષાબંધનના દિવસે 50 ટકાની કાપ મૂકવામાં આવી છે હાલ પેટ્રોલ -ડિઝલના અસામાને આંબેલા ભાવે તમામ લોકોના બજેટ ખોરવી નાંખ્યા છે જેને લઇ લોકો હવે સરકારી ટ્રાન્સપોર્ટ તરફ વાળ્યા છે
એએમટીએસના વિભાગે વર્ષ 2019-20 માં છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ 653 બસ રોડ પર દોડાવીને કુલ રૂ. 16.85 લાખનો વકરો કર્યો હતો, જ્યારે કુલ 4.91 મહિલા-બાળકોએ મુસાફરી કરી હતી. જોકે ત્યાર પછીનાં છેલ્લાં ચાર વર્ષથી બસભાડામાં ધરખમ ઘટાડો કરાયો છે પંરતુ ગત વર્ષે કોરોનાકાળને પગલે તમામ તહેવારો પર ગ્રહણ લાગ્યુ હતુ અને એ એમ ટી એસ જેવી સુવિધા પર માઠી અસર જોવા મળી હતી રક્ષાબંધને ફક્ત ૪૨ હજાર મહિલા-બાળકોએ મુસાફરી કરતા તંત્રને રૂ. 2.90 લાખની આવક થઈ હતી