અમદાવાદ AIMIMના પ્રમુખ અને એડવોકેટ શમશાદ પઠાણ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગુર્જરી બજારમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા શમશાદ પઠાણ ગંભીર રીતે ઘવાયા હતા.
બનાવને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી અને તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના અંગે હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.