કોરોના પણ અન્ય બીમારી જેવી જ બીમારી છે તેનાથી ડરવાની જરૂર નથી પણ અંદરથી આ વાઇરસ સામે લડવાનો વિશ્વાસ કેળવવાની જરૂર માત્ર છ. આત્મવિશ્વાસ થકી ગમે તેવી મુસીબતને પણ માત આપી શકાય છે અને જ્યાં સુધી કોરોનાની રસી ન શોધાઈ ત્યાં સુધી આપણે live with corona and love with corona નો પાઠ શીખી જવો પડશે.
આ લાગણી છે તેની સામેનો જંગ જીતી ને હેમખેમ પાર ઉતરનાર અમદાવાદ ના નિવૃત્ત શિક્ષક અને તેમના પરિવારને અત્યાર સુધીમાં કોરોનાની સારવાર મેળવીને સાજા થનારઓમાં સુમન દાદા સંભવત સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે. છેલ્લા 35 વર્ષથી બ્લડપ્રેશર, 86 વર્ષની ઉંમરે કાર્ડિયાકની સારવાર અને એક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ પણ કોરોના સામે અડીખમ છે.
સુમનભાઈ ને એવું પૂછીએ કે આ બીમારી સામે લડવાની શક્તિ ક્યાંથી મળી ? તો કહે કે, મને શ્રીજીબાવા માં અતૂટ શ્રદ્ધા છે અને મને ભરોસો છે કે એ મને કંઈ નહીં થવા દે, બીજો ભરોસો મને મારા પરિવાર પર છે જે કપરી પરિસ્થિતિમાં પણ હંમેશા મારી પડખે રહ્યો જેનાથી મને માનસિક હિંમત મળી અને ત્રીજો આભાર માનવો રહ્યો એસવીપી હોસ્પીટલના કર્મચારીઓનો જે રાત દિવસ ખડેપગે મારી સારવાર કરી.
આજે પણ ભગવત ગીતાના 12 અને 15 માં અધ્યાય નિયમિત પઠન કરતાં દાદાને પૂછે કે હોસ્પિટલમાં સમય કેવી રીતે પસાર થતો અને પ્રસન્ન કેવી રીતે રહેતા તો કહે કે મારો પરિવાર છે અને મારી સાથે એનાથી શક્તિ મળી રહેતી હોસ્પિટલમાં પણ તમામ વ્યવસ્થાઓ ખૂબ સારી હતી નિયમિત રીતે સારસંભાળ રાખવામાં આવતી હતી એટલે કોઈ ચિંતા નહોતી આટલુ ઓછું તેમ મારી પૌત્રી જુના ગીતો સાંભળતી જેના થકી મારું મન પ્રફુલ્લિત રહે તો આ બધાની વચ્ચે સૌથી વધુ ખુશ તો સુમન દાદાની 16 વર્ષની પૌત્રી છે જેના જન્મદિવસે જ દાદા સ્વસ્થ થઈને હોસ્પિટલથી ઘરે પરત આવતા આટલા વર્ષમાં આ તેની સૌથી શ્રેષ્ઠ બર્થ ડે ગિફ્ટ છે.
સુમનભાઈ નો પરિવાર તબીબીક્ષેત્ર સાથે સંકળાયેલો છે. વર્તમાન પરિસ્થિતિમાં તેઓ બે બાબત પર ભાર આપે છે એક કોરોના સામે લડવા માટે શોલે ફિલ્મ નો ડાયલોગ યાદ રાખવો જરૂરી છે, “જો ડર ગયા સમજો મર ગયા” મતલબ કોરોના થી ડરવાનું નથી તેની સામે લડવાનું છે અને બીજી એક કે જ્યાં સુધી કોરોના ni રસી ન શોધાઈ ત્યાં સુધી એક સૂત્ર ગાંઠે બાંધી લેવું પડશે live with corona and love with corona એટલે કે કોરોના ની સાથે જીવતા શીખી જવું પડશે અને જેમને કોરોના થયો છે તેમનાથી દૂર ભાગવાને બદલે પ્રેમ, હૂંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની જંગ જીતી શકાશે.