ગુજરાતમાં હવે આરોગ્યક્ષેત્રે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે જેથી કરીને દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી શકે. સુરતની પ્રથમ હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રોબોટ દ્વારા ઘૂંટણના રીપ્લેસમેન્ટ કરવા ની ટેકનોલોજી સ્વીકારવામાં આવી છે. પ્રથમ હોસ્પિટલમાં આ ટેકનોલોજી ની શરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના પ્રસંગમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં પહેલી વખત અને ભારતમાં આ ત્રીજો હોસ્પિટલ હશે કે જા સંપૂર્ણ ઓટોમેટીક રોબર્ટ કે જે સર્જરીના પ્લાનિંગ સાથે સાથે સર્જરી પણ કરી કરી શકશે. નિષ્ણાત ડોક્ટરો અનુ માનવું છે કે રોબટ કોઈ પણ ભૂલ કર્યા વગર ચોકસાઈ સાથે સર્જરી કરી શકે છે. આ રોબર્ટ દ્વારા સર્જરી કરવાથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ દર્દીને ઝડપથી રીકવરી આવે છે અને તેનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યા હોવાનું રિસર્ચ કરવામાં આવ્યું છે અને રિપ્લેસ માં થયા બાદ દર્દીને જ દુખાવો થતો હતો તેમાં પણ મોટી રાહત મળશે.
ડોક્ટર ભરત સુતરીયા જણાવ્યું કે રોબોટ દ્વારા ઓપરેશન પહેલાં જ પ્લાનિંગ થાય એ કુદરતી સાંધામાં જે હોય તે પ્રમાણેનું ચોક્કસ પ્લાનિંગ કરીને પછી જ ઓપરેશન કરવામાં આવે છે જેથી કરીને દર્દીના સાંધાનું આયુષ્ય વધારી શકાય છે. રોબોટ દ્વારા ગોઠણ માં આખા સાંધા સાથે થાપાનો સાંધો બદલી શકાય છે. કોઈ દર્દીને માત્ર અડધો ગોઠણ ઘસાયેલો હોય તો માત્ર અડધો ગોઠણ બદલીને બાકીના કુદરતી સંપદાને બચાવવા માં પણ મદદરૂપ બને છે જે આ ટેકનોલોજીનો આપણે સૌથી સારો માની શકાય છે. અમારી આખી ટીમ વર્ષોથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે પરંતુ સમયના માંગ સાથે દર્દીને સારામાં સારી સારવાર અત્યાધુનિક રીતે મળે તેવો અમારો પ્રયાસ છે અને તેના ભાગરૂપે અમે રોબર્ટ સર્જરી માટે લાવ્યા છે.