ખંડણી ખોરના નામથી આકાશ સરકાર હજુ ચર્ચામાં આવી રહ્યો છે.આકશ સરકાર દ્વારા હમણાં આમરણાંત ઉપવાસ રાખવામાં આવ્યા હતા. આકાશ સરકાર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે જો દિન 2માં અમોની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ફરી આમરણાંત ઉપવાસ કરવાની ફરજ પડશે અને તે મોકૂફ રાખવામાં નહિ આવે.
આકાશ સરકાર આ બધું કેમ કરી રહ્યો છે?
શું આકાશ સરકાર પોતાનું ગેરકાયદેસર બાંધકામ બચાવવા માટે કરી રહ્યો છે ?
કોર્ટ દ્વારા તોડવાનો હુકમ કરી કોર્પોરેશને જણાવ્યું હોવા છતાં કેમ હજુ સુધી નથી તૂટી રહ્યું આકાશ સરકારનુ મકાન ?
આકાશ સરકાર ઉપર કયા મોટા અધિકારીઓના છે આશીર્વાદ !?
ક્યાં મોટા અધિકારીઓના આશિર્વાદ હોવાથી આ મકાન તોડવામાં નથી આવી રહ્યું !?
શું અધિકારીઓ આકાશ સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે ? શું આકશ સરકાર અને અધિકારી વચ્ચે વહીવટ થઇ ગયા છે !?
આકાશ સરકાર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જાણવું હતું કે માનનીય નાયબ મ્યુનિ. કમિશનરશ્રીની દરમિયાનગીરીથી અને નાયબ નગર વિકાસ અધિકારીશ્રીની તથા તમામ આરટીઆઈ કાર્યકર્તાઓની સમજાવટથી અમોની ગ્રાહ્ય મંગાણીઓ 2 દિવસમાં માંગણીઓ પુરી કરવાની બાંહેધરી માનનીય નાયબ મ્યુનિ. કમિશનરીશ્રી દ્વારા મળતા આમરણાંત ઉપવાસ 2 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે છે. આમરણાંત ઉપવાસના પારણાં મણિનગર માનનીય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી અને માનનીય ડીસ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરાવવામાં આવ્યા. જો દિન 2માં અમોની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ફરી આમરણાંત ઉપવાસ કરવાની ફરજ પડશે અને તે મોકૂફ રાખવામાં નહિ આવે.
નોધનીય છે કે અમદાવાદમાં ‘આકાશ સરકાર’નું નામ ભારે જોર પકડ્યું છે અને મનપાના બે મોટા અધિકારીઓ ની સાંઠગાંઠ માં મોટા ખેલ કરવામાં આવી રહયા હોવાની ચર્ચા વ્યાપક બની છે અને ગેરકાયદે બાંધકામ વાળી મેટર માં આ આખું રેકેટ ચાલતું હોવાની વાતો બહાર આવી રહી છે.
આકાશ રહે છે તેની આગળ ગલી માં જ બે ફ્લેટ ના કામ ચાલે છે બેરલ માર્કેટ મા મોહમ્મદી સોસાયટી આર એમ પાન ના ગ્લલા ની આગળ ૨૦ દુકાન નુ કોમર્શિયલ બિલ્ડિંગ ૬ માળ ની ફ્લેટ ની સ્કીમ બને છે જેમાં વહિવટ થઈ ગયો એટલે બોલતો નથી તેવું આજે એક કોર્પોરેશનના જ એસ્ટેટ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.કોર્પોરેશનના એસ્ટેટ અધિકારીઓ પણ આકાશ સરકારના ત્રાસ થી કંટાળી ગયા છે પરંતુ એક એસ્ટેટ અધિકારી કે જેમનું નામ તડવી છે તેમના આશિર્વાદ થી જ આકાશ સરકાર બેફામ બન્યો હોવાની વાત ની ચર્ચાએ જોર પકડ્યું છે.
શું આમાં આકાશ સરકારનો વહીવટ થઇ ગયો છે !?
શું આકાશ સરકાર જ્યાં રહે છે તે ગલી માં જે બે ફ્લેટની સ્કીમ ચાલી રહી છે તેનો વહીવટ થઇ ગયો હોય તેવું લાગે છે. એટલાજ માટે આ ગેરકાયદેસર ફ્લેટ ની સામે આકાશ સરકાર કોઈ વિરોધ કરી રહ્યો નથી. આકાશ સરકાર વારવાર સરકાર સામે વિરોધ કરતો હોઈ છે તો આ ગેરકાયદેસર ફ્લેટો સામે કેમ કોઈ વિરોધ કરતો નથી.
શું આકાશ સરકાર ઉપર કોઈ મોટા રાજકીય નેતાનો હાથ છે કે પછી કોઈ મોટા અધિકારી નો ?
આકશ સરકારને કોર્પોરેશન દ્વારા બ્લેકલીસ્ટ કરવામાં આવ્યો છે. તો તેને પોતાના બે વહીવટદાર ઉભા કરવામાં આવ્યા છે જેમના નામે આકાશ સરકાર હાલમાં આર.ટી.આઈ.કરાવી ને મોટા ખેલ કરી રહ્યો છે તેમાંના એક નું નામ નલિન રાઠોડ અને બીજાનું નામ સમીર પટેલ હોવાનું સ્થાનિક રહીશો નું કહેવું છે અને આ સમીર પટેલ નામનો શખ્સ એન.સી.પી.માં પણ પોતાનો હોદ્દો ધરાવતો હોવાની વાતો હાલમાં વહેતી થવા પામી છે.
શુ આકાશ સરકાર કહે એમ એસ્ટેટ અધિકારીઓની બદલી થાય ?
શુ આકાશ સરકાર કહે એ જ મકાન તોડવા માટે પોલીસ બંદોબસ્ત મળે !?