સમગ્ર દેશ માં હજુ પણ નોટબંધી ની અસર જોવા મળી છે અને પોતાની જૂની 500 અને 1000ની નોટો આરબીઆઈમાં જઈને બદલાવી શકશે આવી વાત લોકો ને ખબર હતી. પણ તમે કોઈપણ શહેરની આરબીઆઈમાં તમારી બંધ થેયેલી ચલણી નોટો નહીં બદલાવી શકો તે જાહેરાત થઈ ના હતી . પરિણામે અમદાવાદમાં આશ્રમરોડ પર સ્થિત આરબીઆઈમાં નોટ બદલી માટે લોકોની લાઈનો લાગીહતી. નોટબંધી દરમિયાન લોકો રૂ. 500-1000ની ફાટેલી અથવા ઘણી જૂની નોટો લઈ બદલાવવા આવતા હતા ત્યારે બેન્કના અધિકારીઓએ એવું કહ્યું હતું કે આવી નોટો 1લી જાન્યુઆરી પછી બદલી આપવામાં અપાશે. પરંતુ હવે જ્યારે આ લોકો જૂની નોટ બદલાવવા આવ્યા છે તો રિઝર્વ બેંકના મુખ્ય દરવાજે રૂ. 500 અને રૂ. 1,000ની નોટ બદલી આપવામાં આવશે નહીં, તેવા બોર્ડ લગાવેલાજોવા મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આવા લોકોએ રિઝર્વ બેંક સામે હોબાળો કર્યો હતો અને જૂની નોટ ન બદલવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, નોટ બદલવાની સુવિધા માત્ર મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને નાગપુરમાં આરબીઆઈ બેંક કાર્યાલયમાં જ આપવાની જાહેરાત કરી છે.