અમદાવાદ : કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિ હાલમાં નિયમિત યાત્રી ટ્રેનોનું સંચાલન બંધ છે. મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલ્વે દ્વારા 230 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેના માટે ભારતીય રેલ્વે દ્વારા 22 મે 2020 થી મુસાફરોના આરક્ષણ કેન્દ્રોથી આરક્ષિત ટિકિટનું બુકિંગ શરૂ કરાયું છે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ 4 પર 25 મે 2020 ના રોજ આરક્ષિત ટિકિટોનું રિફંડ પણ શરૂ કરવામાં આવશે.
મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે, તાજેતરમાં અમદાવાદ મંડળ પર અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર મુસાફરોના આરક્ષણ કેન્દ્રોથી આરક્ષિત ટિકિટનું બુકિંગ શરૂ કરાયું છે. તેમના અનુસાર જે યાત્રીઓ એ 22 માર્ચ 2020 થી 30 જૂન 2020 સુધી કાઉન્ટરથી આરક્ષિત ટિકિટ લીધી હોય તેવા મુસાફરો આરક્ષણ કાર્યકારી દિવસે ઉપરોક્ત કાઉન્ટરો પર તેમની ટિકિટ રદ કરીને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. આ કાઉન્ટરો પર કામના કલાકો સામાન્ય દિવસે સવારે 08.00 થી સાંજના 5.00 સુધી અને રવિવારે સવારે 08.00 થી બપોરે 14.00 સુધી રહેશે. એ પણ નોંધનીય છે કે, જે મુસાફરોએ 22 માર્ચથી 30 જૂન 2020ના સમયગાળા માટે ટિકિટ બુક કરાવી છે, તેઓ તેમની મુસાફરીની તારીખથી 180 દિવસ સુધીના નિયમો અનુસાર રિફંડ મેળવી શકે છે જેમાં રેલવે પ્રશાસન દ્વારા સંપૂર્ણ રિફંડ ચૂકવવામાં આવશે.
ઝાએ માહિતી આપી હતી કે, હાલમાં આ સુવિધા ફક્ત સાત સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મંડળના તમામ પીઆરએસ અને યુટીએસ કમ પીઆરએસ કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે, ટિકિટ રિફંડમાં ઉતાવળ ન કરવી અને ભીડથી બચવું અને સામાજિક અંતર અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવું.