કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે માનવ જીવન સાથે અતિશય ગંભીર ચેડાં ભાજપ સરકાર કરી રહ્યાનો પર્દાફાશ થયો છે.પોલિયો એક એવી બીમારિછે કે જે એક વખત થાય તો પછી તેની કોઈ સારવાર નથી અને માણસ આજીવન અપંગ બની દર્દ નાક જીવન જીવે છે. પોલિયો ન થાય તે માટે ઇન્જેકટેબલ પોલિયો વેક્સીનના ડોઝ આપવાના હોય છે. વેક્સીન 2 ડિગ્રી સેન્ટીગ્રેટ અને 8 ડિગ્રી સેન્ટીગ્રેટ તાપમાન વચ્ચે જ રાખવાથી સુરક્ષિત રહે છે. જો તાપમાન વધારે મળી જાય તો વેક્સીન નકામા થઇ જાય છે અને તેનો ઉપયોગ ન કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેસન તથા વેક્સીન બનાવનાર કંપની લખીને આપે છે તેમ છતાં ભાજપની સરકાર નકામા થઇ ગયેલા અને વાપરવા યોગ્ય ન હોય તેવા વેક્સીન ગુજરાતના બાળકોને આપે છે જે ગુનાહિત કૃત્ય બાબતના આધાર પુરાવા પણ રજુ કર્યા હતા