અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં બાળકોના થયેલા મૃત્યુને લઈને કોંગ્રેસે આજે પત્રકાર પરીષદ કરી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે આરોગ્યને લઈને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યાં. સગર્ભા મહિલાની ટ્રીટમેન્ટના ખામી હોવાથી લઈ આશાવર્કર, આંગણવાડી બહેનો સાથે અન્યાય થતો હોવાનું શક્તિસિંહે જણાવ્યું.
સગર્ભા મહીલાને યોગ્ય સમયે ટેબ્લેટ અને ટ્રીટમેન્ટ મળે તેની તકેદારી રાજ્ય સરકાર રાખતી ના હોવાનું જણાવી બાળકોના થયેલા મૃત્યુ પાછળ રાજ્ય સરકારની ગુનાહીત બેદરકારી હોવાનું જણાવ્યું. રજુ થયેલા સરકારી આંકડાઓ પર પણ પ્રશ્નો ઉભા કરતા બાળમૃત્યુદર ઓછો હોવાની જણાવતી ગુજરાત સરકાર બાળમૃત્યુદરમાં મોખરે હોવાનો આક્ષેપ શક્તિસિંહે કર્યો.
ગોહીલે હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં કમિટી રચી આ અંગે તપાસ કરવાની પણ માંગ કરી.