રાજ્યમાં વરસેલા ભારે વરસાદથી ઠેર-ઠેર રોડ રસ્તાઓ પર ખાડાઓનું સમ્રાજયનું નિર્માણ થયુ હતું તેમજ તૂટેલા રોડ રસ્તાઓથી વાહનચાલક તેમજ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે રાજ્યમાં રોડ રસ્તાની વ્યાપક ફરિયાદોને લઇ ખુદ માર્ગ મકાન મંત્રી પૂણેશમોદીથી રાજ્યસરકાર દ્રારા હવાલો લઇ લેવાયો હતો હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે બીજી તરફ રોડ રસ્તાની અત્યંત બિસ્માર હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ સ્માર્ટસિટી ગણાતા અમદાવાદમાં રોડ રસ્તાને લઇ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યુ છે તેને ફરી લઇ એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યુ છે 15 સપ્ટેમ્બરના રોજ સુધીમાં શહેરના તમામ રોડ-રસ્તાનું રિસેરફેસ કરવા આદેશ આપી દેવાયા છે
ચાલુવર્ષે અમદાવાદમાં 22 હજારથી પણ વધુ જગ્યાએ રોડ રસ્તા તૂટ્યા હતા 430 જેટલા વિવિધ સ્થળો પર રિસરફેસની કામગીરી બાકી છે આં અંગે રોડ બિલ્ડિગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇ જણાવ્યુ હતુ કે કમિટીમાં 308 કરોડના કામો મંજૂર કર્યા છે કેન્દ્ર સરકારનું અભિયાન ફાટક મુક્ત ગુજરાત અંતર્ગત અમદાવાદ ખાતે ત્રણ ઓવરબ્રિજ બનાવામાં આવશે LC 24 મકરબા LC 21 બુટ ભવાની LC 11 હેબતપુરમાં ફલાય ઓવરબ્રિજ બનાવામાં આવશે અને શહેરીજનો ટ્રાફિકથી મુક્તિ મળશે 15 સપ્ટેબરસુધી શહેરના રોડ રસ્તાઓ પર ખાસ કામગીરી કરવામાં આવશે