અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્ધારા સતત વિવાદમાં રહેલા ટ્રાફિક બિગ્રેડ સામે થોડાક સમય પહેલા લાલાઆંખ કરી ભ્રષ્ટ્રાચાર તેમજ ફરજ ગેરહાજરી બદલ 700થી વધુ ટ્રાફિક બ્રિગ્રેડઓને (TRB છુટા કરી મોટી કાર્યવાહી હાથધરી હતી જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ મળેલી ટ્રાફિક બિગ્રેડની ફરિયાદોને લઇ તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા હતા જે અંગે ખાલી પડેલી જગ્યા પર ફરી ભરવા હાલ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના દ્ઘારા ભરતીની કાર્યાવાહી હાથધરી છે.
જેમાં આગામી દિવસોમાં 700થી વધુ ટ્રાફિક બિગ્રેડ જવાનોની ભરતી કરવામા આવશે 23 એપ્રિલથી TRB જવાનોની ભરતી પ્રક્રિયા હાથધરવામાં સૂચના આપી દેવાયા છે જેમાં પ્રથમ રાઉન્ડમાં શારીરિક કસોટી હાથ ધરવામાં આવશે જેમાં સૌ પ્રથમ 800 મીટરની દોડની ટેસ્ટ લેવાશે